Team Chabuk-National Desk: એનસીપી નેતા અને મહારાષ્ટ્ર કેબિનેટ મંત્રી નવાબ મલિકે અભિનેત્રી કંગના રણૌતના સ્વતંત્રતાના નિવેદન પર પ્રતિક્રિયા વ્યક્ત કરતા કહ્યું હતું કે અમે અભિનેત્રી કંગના રણૌતના નિવેદનની આકરી નિંદા કરીએ છીએ. તેણે સ્વતંત્રતા સેનાનીઓનું અપમાન કર્યું છે. કેન્દ્રએ તેનો પદ્મશ્રી પાછો લઈ લેવો જોઈએ અને તેની ધરપકડ કરી લેવી જોઈએ.
Mumbai | We strongly condemn actress Kangana Ranaut's statement (India got freedom in 2014). She insulted freedom fighters. Centre must take back the Padma Shri from Kangana & arrest her: Maharashtra Minister Nawab Malik pic.twitter.com/xTy2VPFohk
— ANI (@ANI) November 12, 2021
મહિનાઓથી સમીર વાનખેડે પર આરોપો પર આરોપો લગાવી રહેલા મલિકે કંગના વિરૂદ્ધ આગળ કહ્યું કે લાગે છે કંગના રણૌતઆ પ્રકારનું નિવેદન આપતા પહેલા મલાના ક્રીમ (હશીશ, એક વિશેષ પ્રકારની ડ્રગ્સ જે હિમાચલમાં ઉગાળવામાં આવે છે.)નો ભારે માત્રામાં ડોઝ લીધો છે.
Mumbai | We strongly condemn actress Kangana Ranaut's statement (India got freedom in 2014). She insulted freedom fighters. Centre must take back the Padma Shri from Kangana & arrest her: Maharashtra Minister Nawab Malik pic.twitter.com/xTy2VPFohk
— ANI (@ANI) November 12, 2021
કંગનાના આ નિવેદન બાદ બીજેપી સાંસદ વરુણ ગાંધીએ લખ્યું છે કે ક્યારેક મહાત્મા ગાંધીજીના ત્યાગ અને તપસ્યાનું અપમાન, ક્યારેક તેમના હત્યારાનું સન્માન અને હવે શહીદ મંગલ પાંડેથી લઈ રાણી લક્ષ્મીબાઈ, ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, નેતાજી સુભાષચંદ્ર બોઝ અને લાખો સ્વતંત્રતા સેનાનીઓની કુર્બાનીઓનું તિરસ્કાર. આ વિચારને હું પાગલગન કહું કે પછી દેશદ્રોહ?
આમ આદમી પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની સભ્ય પ્રીતિ શર્મા મેનને અભિનેત્રી કંગના રણૌતની વિરૂદ્ધ મુંબઈ પોલીસને ફરિયાદ કરી આ ઘટના સંલગ્ન એફઆઈઆર ફાઈલ કરવાની વાત કરી છે. મેનને કહ્યું છે કે, કાર્યવાહીની આશા છે. કંગના પર ભારતીય દંડ સંહિતાની ધારા 124 A, 504, અને 505 હેઠળ કાર્યવાહી થવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે હાલમાં જ પદ્મશ્રીથી સન્માનિત કંગના રણૌત વધુ એક ઉહાપોહ સભર નિવેદન આપ્યું છે કે ભારતને સાચા અર્થમાં સ્વતંત્રતા 2014 પછી મળી છે. 1947માં મળી એ ભીખ હતી.
તાજેતાજો ઘાણવો
- પહેલગામમાં આતંકી હુમલામાં 26 પ્રવાસીઓના મોત, આતંકીઓએ નામ પૂછીને ગોળી મારી
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ