Homeગામનાં ચોરેસોનું સસ્તુ થવાના સંકેત, સરકાર બજેટમાં લઈ શકે છે આ મહત્વપૂર્ણ નિર્ણય

સોનું સસ્તુ થવાના સંકેત, સરકાર બજેટમાં લઈ શકે છે આ મહત્વપૂર્ણ નિર્ણય

Team Chabuk-National Desk: કેન્દ્ર સરકાર હવે સોના (gold) પરની આયાત જકાત ઘટાડવાનું વિચારી રહી છે. ન્યૂઝ એજન્સી બ્લૂમબર્ગના સૂત્રો તરફથી મળેલી જાણકારી અનુસાર, સોનાની ગેરકાયદેસર શિપમેન્ટ રોકાવા માટે સરકાર આયાત જકાત ઘટાડવા પર વિચાર કરી રહી છે. ભારત સોનાનો બીજો સૌથી મોટો આયાતકાર દેશ છે. એવામાં મોટા સ્તર પર ભારતમાં સોનું આયાત થાય છે. પરંતુ સોના પર આયાત જકાત વધવા પર ભારતમાં સોનાની દાણચોરીના કેસમાં વધારો થયો છે. તેને જોતા સરકાર સોના પર આયાત જકાત 12.5 ટકાથી ઘટાડીને 10 ટકા કરવા પર વિચાર કરી રહી છે.

એક મીડિયાના અહેવાલ મુજબ, જો કે, આ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, હજુ સુધી તે સ્પષ્ટ નથી થયું કે, સોના પર આયાત જકાત ઘટાડવાની ભલામણોને સ્વીકારવામાં આવશે કે નહિ. જો સોનાં પર આયાત જકાતમાં કપાતનો નિર્ણય લેવામાં આવે છે તો શક્ય છે કે, બજેટમાં સરકાર તેની જાહેરાત કરે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆકી 2023ના રોજ બજેટ રજૂ કરશે.

સોના પર આયાત જકાત ઘટાડવાનો નિર્ણય એટલા માટે મહત્વનો હશે કારણ કે, સરકાર વેપાર ખાદ્ય ઘટાડવા માટે સરકાર આયાત ઘટાડવા માંગે છે. પરંતુ આ વચ્ચે સોની દાણચોરીના કિસ્સાઓમાં વધારાથી સરકારની આવક પર પણ અસર પડે છે. સરકારે જુલાઈ 2022માં જ ટેરિફમાં વધારો કર્યો હતો, ત્યારબાદથી જ સોનાની આયાતમાં મહદંશે ઘટાડો આવ્યો છે. જો કે, નાણા મંત્રાલયની તરફથી હજુ સુધી આ વિશે કોઈ જાણકારી સામે આવી નથી.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments