Team Chabuk-National Desk: દિલ્હીની રોહિણી કોર્ટમાં શુક્રવારે ધડાધડ ફાયરિંગમાં ઢેર થયેલો ગેંગસ્ટર જીતેન્દ્ર ગોગી એનસીઆર અને હરિયાણાનો કુખ્યાત ગેંગસ્ટર હતો. તેના પર હત્યા અને લૂંટના કેટલાય કેસ દાખલ હતા. હરિયાણામાં ગોગી પર 23 વર્ષીય ગાયિકા અને ડાન્સર હર્ષિતા દહિયાની ગોળી મારીને કરપીણ હત્યા કરવાનો પણ આરોપ હતો.

ઓક્ટોબર 2017માં સોનીપતના ગામ નાહરા-નાહરીની રહેવાસી હરિયાણવી ગાયિકા અને ડાન્સર હર્ષિતાની દહિયા સ્વતંત્ર નગર નરેલા, દિલ્હીના ચમરાડા અને કાકોદાની વચ્ચે ગોળી મારીને હત્યા નીપજાવી નાખવામાં આવી હતી. તે એક કાર્યક્રમથી પોતાની આઈ-10 કારમાં ડ્રાઈવર અને બે અન્ય સહયોગી સાથે પરત આવી રહી હતી. કાર જેવી ચમરાડા ગામથી કાકોદાની તરફ ચાલી ગઈ તો પાછળથી કાળા રંગની ફોર્ડ ફિગો ગાડી આવી અને હર્ષિતાની કારને અથડાઈ.

ગેંગસ્ટર્સે ડ્રાઈવર અને સહયોગી યુવક સંજીવને નીચે ઉતારી દીધો હતો અને હર્ષિતા ચૌધરીને ગાડીની પાછળની સીટ પર બેઠા બેઠા માથા તથા ગરદનના ભાગે ગોળી મારી દીધી હતી. હર્ષિતા ચૌધરીની ઘટનાસ્થળ પર જ મોત થઈ ગઈ હતી. પોસ્ટમાર્ટમ રિપોર્ટમાં તેને 10-12 ગોળી લાગી હોવાનો ખુલાસો થયો હતો. હર્ષિતાના જીજુ દિનેશ કરાલાએ હત્યા કરાવી હોવાની વાતનો પણ સ્વીકાર કર્યો હતો.

દિનેશ કરાલાએ ગેંગસ્ટર જીતેન્દ્ર ઉર્ફ ગોગીનું નામ લીધું હતું. તે પોતાના શાર્પ શૂટર કુલદીપ ફજ્જાની સાથે હત્યાઓ કરતો હતો. પોલીસ અનુસાર દિનેશ અને જીતેન્દ્ર ખૂબ નજીક હતા. ગોગીએ કાલરાની પાસેથી હર્ષિતાની હત્યા કરવા માટે એક પાઈ સુદ્ધા લીધી નહોતી. આ દરમ્યાન ગોગી પોતાની માતાની હત્યાના આરોપમાં જેલમાં બંધ હતો. 19 ફેબ્રુઆરી 2020માં ગોગી અને તેના ધરપકડ થયેલા સાથી મિત્રઓએ ટિલ્લૂ ગેંગનો સાથ દેવાની શંકામાં પવન અને અંચિલ ઠાકુર પર ધાણીફૂટ ગોળીબાર કર્યો હતો. ઠાકુરને 26 ગોળીઓ લાગી હતી અને તેનું ઘટનાસ્થળ પર જ મોત થઈ ગયું હતું.

મોસ્ટ વોન્ટેડની લિસ્ટમાં ટોપ પર રહી ચૂકેલો ગેંગસ્ટર ગોગી તિહાડ જેલથી દુબઈના વેપારી પાસેથી પાંચ કરોડ રૂપિયા માગવાના કારણે પણ સમાચારમાં હતો. ગેંગસ્ટર ગોગી પર હત્યા, પોલીસ પર હુમલો, ખંડણી માગવી જેવા કેસ ચાલી રહ્યા હતા. જીતેન્દ્ર ઉર્ફ ગોગીને ગત વર્ષે ગુરૂગ્રામાંથી પકડી પાડ્યો હતો. જે સમયે તેની ધરપકડ કરવામાં આવી એ સમયે તેના પર આઠ લાખનું ઈનામ હતું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત