Team Chabuk-National Desk: ગુલાબ વાવાઝોડાએ ચિંતા વધારી દીધી છે. હાલ ગુલાબ વાવાઝોડાને લઇ ઓડિશામાં લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજ સાંજ સુધીમાં ગુલાબ વાવાઝોડું ટકરાશે. અને તેની ઝડપ 85 કિલોમીટર પ્રતિ કલાક રહેશે. જેને લઈને ઓડિશાના 7 જિલ્લા હાઈએલર્ટ પર છે. NDRFની કુલ 18 ટીમો તૈનાત કરી દેવાઈ છે.
આંધ્રપ્રદેશ અને ઓડિશામાં ગુલાબ વાવાઝોડાને લઇ યલો અલર્ટ આપી દેવાયું છે. ભારતીય હવામાન વિભાગએ આંધ્રપ્રદેશ અને ઓડિશાના કેટલાક ભાગોમાં ચક્રવાતી વાવાઝોડા બાબતે યલો એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગ દ્વારા શનિવારે વાવાઝોડા અંગે અલર્ટ કર્યા હતા. હાલ ઓડિશા અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ઝડપ વધી છે.
'Cyclone Gulab' is currently located 180 km southeast of Gopalpur. Most likely it will make landfall from late evening to midnight, between Kalingapatnam in Andhra Pradesh and Gopalpur in Odisha: Special Relief Commissioner PK Jena pic.twitter.com/HZMQjhg4Bi
— ANI (@ANI) September 26, 2021
હવામાન વિભાગે વાવાઝોડાને કારણે પશ્ચિમ બંગાળના ઘણા ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. કોલકત્તા પોલીસે યુનિફાઇડ કમાન્ડ સેન્ટર નામનો કન્ટ્રોલ રૂમ ખોલ્યો છે. આ વિસ્તારના તમામ પોલીસ સ્ટેશનો અને વિભાગોને હાઈ એલર્ટ પર રહેવાનું કહેવામાં આવ્યું છે. IMDના જણાવ્યા અનુસાર આગામી 5 દિવસ દરમિયાન પૂર્વી રાજસ્થાન, પશ્ચિમ મધ્યપ્રદેશ, ગુજરાત અને ગોવામાં ભારે વરસાદની સંભાવના છે. હવામાનની સ્થિતિ જોતા કોસ્ટલ ગાર્ડે ઓછા દબાણવાળા ક્ષેત્રોમાં માછીમારોને સતર્ક રહેવાની સૂચના આપી છે. તેમને 25 સપ્ટેમ્બરથી આવનારી સૂચના સુધી દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે.

ગુલાબ વાવાઝોડાની અસર ગુજરાત પર થશે. ગુલાબ વાવાઝોડું બંગાળની ખાડીમાંથી સક્રિય થયું છે. ત્યારે વાવાઝોડાની અસરને લઇ દક્ષિણ ઓડિશામાં યલો અલર્ટ આપી દેવાયું છે. ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુલાબ ચક્રવાતની અસરથી ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવશે. અને 27 સપ્ટેમ્બરથી ગુજરાત કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદનું અનુમાન છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 27 સપ્ટેમ્બર એ ભારે વરસાદ પડી શકે છે. અને 28 સપ્ટેમ્બરે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે.
ઉલ્લેખનીય છે કે, આ વાવાઝોડાનું ગુલાબ નામ પાકિસ્તાને રાખ્યું છે. જે યાસ અને તાઉતે બાદ પહેલાંથી જ નક્કી હતું. હવે આવનારા 150 જેટલા વાવાઝોડાના નામ પણ પહેલાંથી જ નક્કી છે. હવે ગુલાબ બાદ જે વાવાઝોડું આવે તેનું નામ શાહીન હશે. જે નામ કતારે આપ્યું છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત