Homeગામનાં ચોરે21 કરોડની કિંમતના સુલ્તાન નામના પાડાનું મૃત્યુ, જેના સ્પર્મની કિંમત હતી લાખો...

21 કરોડની કિંમતના સુલ્તાન નામના પાડાનું મૃત્યુ, જેના સ્પર્મની કિંમત હતી લાખો રૂપિયા

Team Chabuk-National Desk: સુલતાન (sultan) જેવો પાડો (bull) ન કોઈ હતો અને ન કોઈ ભવિષ્યમાં હશે.. આ વાત કહી છે હરિયાણાના (hariyana) કૈથલ જિલ્લાના બુઢાખેડા ગામમાં રહેતા નરેશભાઈએ. હરિયાણાના કૈથલ જિલ્લાના બુઢાખેડા ગામમાં રહેતા નરેશ બેનિવાલના પાડાનું નામ હતું સુલ્તાન. સુલ્તાનનું થોડા દિવસ પહેલાં હાર્ટ એટેકના કારણે મોત (death) થયું છે. સુલ્તાન નામના આ પાડાએ કૈથલ જિલ્લા ઉપરાંત સમગ્ર હરિયાણાનું નામ રોશન કર્યું છે. તેના માલિક નરેશ બેનિવાલને કોઈએ ઓળખ અપાવી હોય તો એ સુલ્તાન હતો. સુલ્તાનના મોત બાદ નરેશ બેનિવાલ અને તેમનો પરિવાર ખૂબ જ દુઃખી છે. નરેશ બેનિવાલ સુલ્તાન વિશે વાત કરતાં કહે છે કે, સુલ્તાન જેવો ન કોઈ હતો અને કદાચ ભવિષ્યમાં ન કોઈ હશે. તેના કારણે જ સમગ્ર ઉત્તર હરિયાણામાં લોકો અમને ઓળખે છે.

rps baby world

સુલ્તાનના સ્પર્મથી લાખોની કમાણી

સુલ્તાન નામના આ પાડાના શોખ પણ નવાબી હતા. નરેશ બેનિવાલે જણાવ્યું હતું કે, સુલ્તાન સવારના નાસ્તામાં દેશી ઘી અને દૂધ પીતો હતો. સુલ્તાનના સ્પર્મથી લાખો રૂપિયાની કમાણી થતી હતી. સુલ્તાન એક વર્ષમાં 30 હજાર સીમનના ડોઝ આપતો હતો, જે લાખો રૂપિયામાં વેચાતા હતા. પશુ મેળામાં તહેલકો મચાવનાર સુલ્તાને નરેશ તથા તેમના પરિવારને એટલા ઇનામ અપાવ્યા છે કે આજે દરેક લોકો તેમને સુલ્તાનના કારણે ઓળખે છે. દરેક પ્રતિયોગિતામાં સુલ્તાને સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ત્યાં સુધી કે હરિયાણાના મ્યૂઝિક આલ્બમમાં પણ સુલ્તાને પોતાની ભૂમિકા અદા કરી છે.

21 કરોડ રૂપિયામાં સુલ્તાનને માગ્યો હતો

સુલ્તાન વર્ષ 2013માં યોજયેલી રાષ્ટ્રીય પશુ સૌંદર્ય પ્રતિયોગિતામાં ઝજ્જર, કરનાલ અને હિસારમાં રાષ્ટ્રીય વિજેતા રહી ચૂક્યો છે. રાજસ્થાનના પુષ્કર મેળામાં એક પશુ પ્રેમીએ સુલ્તાનની કિંમત 21 કરોડ રૂપિયા લગાવી હતી, પરંતુ નરેશ બેનિવાલે કહ્યું કે, સુલ્તાન તેમનો દીકરો છે અને દીકરો અમૂલ્ય હોય છે. નરેશ બેનિવાલ તથા તેમના ભાઈ સુલ્તાનની દેખરેખ પોતાના દીકરાની જેમ જ રાખતા હતા.

rps baby world

નરેશ બેનિવાલે સુલ્તાનને નાનપણથી ઉછેર્યો હતો. તેને પોતાના બાળકની જેમ પ્રેમ આપ્યો. પરંતુ આજે તેના મોત બાદ પરિવારમાં મોટી ખોટ પડી છે. ખાલી ખુંટો નરેશ બેનિવાલને દુઃખી કરે છે. દરેક વખતે બસ તેની તસવીરને જોયા કરે છે. તેના એવોર્ડને જોયા કરે છે. નરેશ બેનિવાલનું કહેવું છે કે, સુલ્તાનના જવાથી તેઓ એટલા દુઃખી છે કે તેની યાદ દિલમાંથી જતી જ નથી. હવે તેઓ કોઈ બીજા પાડાને ઉછેરીને સુલ્તાન જેવો બનાવવા પ્રયત્ન કરશે. પરંતુ સુલ્તાનની ખોટ તો જીવનભર વર્તાશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments