Team Chabuk-political Desk: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણીઓના રંગ બદલાઈ રહ્યા છે. નારાજ નેતાઓ પક્ષપલટો કરી રહ્યા છે. ત્યારે એનસીપીના વધુ એક નારાજ નેતાએ પક્ષમાંથી રાજીનામું ધરી દીધું છે. NCPના ગુજરાતના મહિલા પ્રદેશ પ્રમુખ રેશ્મા પટેલે (reshma patel) પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે અને આજે તેઓ આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતે જોડાઈ ગયા છે.
આજ રોજ આમ આદમી પાર્ટીના સાંસદ સભ્ય રાઘવ ચઢ્ઢાની ઉપસ્થિતિમાં રેશ્મા પટેલે આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતે પ્રવેશ કર્યો છે. આ તકે રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું હતું કે, સુરતના ઉમેદવારનુ ભાજપે અપહરણ કર્યુ છે. રેશ્મા પટેલ એનસીપીના મહિલા મોરચાના અધ્યક્ષ રહ્યા અને તેઓ હવે આપમાં જોડાયા છે. રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું હતું કે રેશમા પટેલ પાટીદાર આંદોલનનો ચેહરો છે. સામાજિક કાર્યો થકી તેમણે સેવા કરી છે અને આજે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.
આમ આદમી પાર્ટીમાં જોડાયેલા રેશ્મા પટેલ હાર્દિક પટેલ સામે વિરમગામથી ચૂંટણી લડે તેવી શક્યતા છે. આમ આદમી પાર્ટી રેશ્મા પટેલને વિરમગામ બેઠક પર ભાજપના હાર્દિક પટેલ સામે મેદાનમાં ઉતારી શકે છે. જો આવું થાય તો પાટીદાર અનામત આંદોલનના બે ચહેરા સામ-સામે આવી શકે છે અને વિરમગામ બેઠક પર ચૂંટણીનો જંગ રસપ્રદ બની શકે છે.
મહત્વનું છે કે, આ પહેલા રેશ્મા પટેલે એનસીપીમાંથી ગોંડલ બેઠક પર ચૂંટણી લડવાનું નક્કી કર્યું હતું. પરંતુ એનસીપીએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી લેતાં એનસીપીએ ગોંડલ બેઠક પર રેશ્મા પટેલને મેન્ડેટ આપ્યું ન હતું. અને કોંગ્રેસના ઉમેદવારને ગોંડલ બેઠક પર ઉતાર્યા હતા. જેથી રેશ્મા પટેલે પાર્ટી સાથે છેડો ફાડી નાખ્યો અને આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
