Team Chabuk National Desk: ખેડૂત આંદોલન મજબૂતાઈ પકડી રહ્યું છે. 26મી જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલી બાદ આજે ફરીથી ખેડૂતો મોટો કાર્યક્રમ આપવા જઈ રહ્યા છે. 6 ફેબ્રુઆરીએ એટલે કે આજે ખેડૂત આંદોલનકારીઓ દ્વારા ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં અને એમએસપીને લઈ દેશભરમાં ચક્કાજામનું એલાન આપવામાં આવ્યું છે. ખેડૂતોએ આજે બપોરે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી દેશભરમાં ચક્કાજામ કરવા માટેની જાહેરાત કરી છે. જો કે ચક્કાજામમાંથી દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડને બાકાત રાખવામાં આવ્યા છે. અહીં ચક્કાજામ નહીં કરવામાં આવે. બાકી દેશભરમાં ચક્કાજામ કરવા માટે ખેડૂતોને કહેવામાં આવ્યું છે.
ખેડૂતોના ચક્કાજામને લઈને અને 26મી જાન્યુઆરીએ દિલ્હીમાં ફેલાયેલી હિંસાના ડરને જોતા પોલીસ પણ તૈયાર છે. દિલ્હી પોલીસે ખાસ કરીને સિંઘુ બોર્ડર અને ગાજીપુર બોર્ડર પર વિશેષ બંદોબસ્ત ગોઠવ્યો છે. ગાજીપુર બોર્ડર પર પોલીસે બેરિકેડ પણ લગાવી દીધી છે સાથે જ વોટર કેનન વાહનને પણ તૈયાર રાખવામાં આવ્યા છે. પોલીસની સાથે ઠેર ઠેર પેરામિલિટરી ફોર્સને પણ સુરક્ષા વ્યવસ્થામાં ગોઠવવામાં આવી છે.
Security tightened in Delhi-NCR in view of 'Chakka Jaam' call by farmers; visuals from Loni border (Ghaziabad) where drone is being used to monitor the situation.
— ANI (@ANI) February 6, 2021
Around 50,000 personnel of Delhi Police, Paramilitary & Reserve Forces deployed in Delhi-NCR, as per Delhi Police pic.twitter.com/wikAnHnXLy
26મી જાન્યુઆરીએ લાલ કિલ્લા પર થયેલી હિંસા બાદ પોલીસે લાલ કિલ્લા પર ખેડૂતોના ચક્કાજામના એલાનને લઈને સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દીધી છે. દિલ્હીમાં ખેડૂતો ચક્કાજામ નથી કરવાના પરંતુ તેમ છતાં સુરક્ષામાં કોઈ ચૂક ન રહી જાય અને 26મી જાન્યુઆરીએ થયેલી ભુલ પોલીસ આ વખતે કરવા નથી માગતી તેથી વહેલી સવારથી જ લાલ કિલ્લા પર પોલીસ બંદોબસ્ત જડબેસલાક કરી દેવાયો છે.
#WATCH किसान संगठनों द्वारा आज देशभर में चक्का जाम के आह्वान के मद्देनज़र लोनी बॉर्डर पर निगरानी रखने के लिए सुरक्षाबल ड्रोन का इस्तेमाल कर रहे हैं। https://t.co/YPqScBZ4QP pic.twitter.com/SimHDOnqy7
— ANI_HindiNews (@AHindinews) February 6, 2021
ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં કેમ ચક્કાજામ નહીં
ખેડૂતો દ્વારા આપવામાં આવેલા ચક્કાજામમાં દિલ્હી, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડને બાકાત રખાયા છે. દિલ્હીમાં 26મી જાન્યુઆરીએ થયેલી હિંસા બાદ માહોલ તંગ છે તેથી દિલ્હીમાં ચક્કાજામ ન કરવાનું ખેડૂત આંદોલનકારીઓએ નક્કી કર્યું છે. જ્યારે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ચક્કા જામ નહીં કરવા અંગે રાકેશ ટિકેતે કહ્યું હતું કે, અમારી પાસે માહિતી છે કે ચક્કા જામ દરમિયાન કેટલાક તત્વો હિંસા ફેલાવવાની કોશિશ કરી શકે છે. તેથી અમે જનહિતને ધ્યાને લઈને ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડને ચક્કાજામમાંથી બાકાત રાખ્યા છે.
हमारे पुास पुख्ता सबूत थे कि कल कुछ लोग चक्का जाम के दौरान हिंसा फैलाने की कोशिश करते। हमारे पास पक्की रिपोर्ट थी। हमने जनहित को देखते हुए उत्तराखंड और उत्तर प्रदेश को कल होने वाले चक्का जाम से अलग रखा है: राकेश टिकैत pic.twitter.com/FykKehGR0H
— ANI_HindiNews (@AHindinews) February 5, 2021
કોંગ્રેસે કર્યું સમર્થન
6 ફેબ્રુઆરીએ બપોરે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી ખેડૂતો દ્વારા અપાયેલા ચક્કાજામને રાજકીય પાર્ટીઓનું પણ સમર્થન મળ્યું છે. કોંગ્રેસે ચક્કા જામને સમર્થન આપ્યું છે. કોંગ્રેસે કહ્યું છે કે, પાર્ટીના કાર્યકરો ખેડૂતો દ્વારા આપવામાં આવેલા 3 કલાકના ચક્કા જામને સમર્થન કરે. કોંગ્રેસ નેતા કેસી વેણુગોપાલે કહ્યું કે, ‘છેલ્લા 73 દિવસથી ખેડૂતો સરકાર દ્વારા દગાથી બનાવેલા ત્રણ કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. લાખો ખેડૂતો ગાંધીવાદી રીતે દિલ્હીની બોર્ડર પર શાંતિપૂર્ણ રીતે આંદોલન કરી રહ્યા છે.’ કેસી વેણુગોપાલે આગળ કહ્યું કે, ‘કેન્દ્રની મોદી સરકાર સત્તાના નશામાં ખેડૂતોના મુદ્દાને હલ કરવાની જગ્યાએ બદનામ કરી રહી છે. આ માહોલમાં કોંગ્રેસ સંપૂર્ણ રીતે ખેડૂત આંદોલન અને ચક્કાજામનું સમર્થન કરે છે.’
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત