Homeગામનાં ચોરેફરી ખેડૂત આંદોલનઃ પંજાબ-હરિયાણાની શંભુ બોર્ડર પર ખેડૂતોનો જમાવડો, ટીયર ગેસના અનેક...

ફરી ખેડૂત આંદોલનઃ પંજાબ-હરિયાણાની શંભુ બોર્ડર પર ખેડૂતોનો જમાવડો, ટીયર ગેસના અનેક સેલ છોડાયા

Team Chabuk-National Desk: પંજાબના ખેડૂતોએ દિલ્હી તરફ કૂચ કરી છે. જેને રોકવા માટે દિલ્લીની બોર્ડરો સીલ કરી દેવાઈ છે અને સૈનિકોના ધાડેધાડા ઉતારી દેવાયા છે. 12 ફેબ્રુઆરીની રાત્રે ચંદીગઢમાં સાડા 5 કલાક સુધી ચાલેલી બેઠકમાં ખેડૂત નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓ વચ્ચે લઘુત્તમ ટેકાના ભાવ (MSP) ગેરંટી કાયદા અને લોન માફી પર કોઈ સંમતિ થઈ શકી નથી. જે બાદ કિસાન મજદૂર મોરચાના સંયોજક સરવણ સિંહ પંઢેરે દિલ્હી કૂચની જાહેરાત કરી હતી. હવે ટ્રેક્ટર અને વાહનો લઈને ખેડૂતો શંભુ બોર્ડરે એકઠા થયા છે. જેને રોકવા માટે સુરક્ષા જવાનોએ ડ્રોનથી ટિયર ગેસના સેલ છોડ્યા હતા.

કિસાન મજુર મોરચાના કન્વીનર સરવણ સિંહ પંઢેરે જાહેરાત કરી કે ​​​​​​ખેડૂતો દિલ્હી કૂચ કરશે. તેમણે ખેડૂતોને પંજાબ-હરિયાણાની શંભુ, ખનૌરી અને ડબવાલી બોર્ડર પર ભેગા થવા કહ્યું હતું.

સરવણ સિંહે કહ્યું હતું કે, દરેક મુદ્દે ચર્ચા થઈ છે પરંતુ ખેડૂતોની માંગણીઓ પર સરકાર ગંભીર નથી. ખેડૂતો સંઘર્ષ નથી ઈચ્છતા પરંતુ સરકારના મનમાં ખોટ છે. તેઓ માત્ર સમય પસાર કરવા માંગે છે. અમને કંઈપણ આપવા માંગતા નથી. અમે તેમને MSP કાયદા અંગે જાહેરાત કરવા કહ્યું હતું. સરકારના પ્રસ્તાવ પર વિચાર કરશે પરંતુ આંદોલન પર મક્કમ છીએ.
બીજી તરફ કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાએ કહ્યું કે દરેક વાતનો ઉકેલ વાતચીતથી થવો જોઈએ. કેટલાક મુદ્દાઓ છે કે જેના ઉકેલ માટે કમિટી બનાવવાની જરૂર છે.

આંદોલન મામલે દિલ્હી, પંજાબ, હરિયાણા અને ચંદીગઢની સરહદો સીલ કરી દેવામાં આવી છે. દિલ્હીમાં કડક બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. એક મહિના માટે કલમ 144 પણ લાગુ કરવામાં આવી છે.

farmers protest at shambhu border

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments