Team Chabuk-International Desk: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પૂર્વ ક્રિકેટર ઈમરાન ખાન (Imran Khan) પર રેલી દરમિયાન ફાયરિંગ થયું છે. ફાયરિંગમાં ઈજાગ્રસ્ત થયેલા ઈમરાન ખાનને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પાકિસ્તાનની શહબાઝ શરીફ સરકાર વિરુદ્ધ લાહોરથી ઇસ્લામાબાદ સુધી હકીકી માર્ચ કાઢી રહેલા પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની ગુરૂવારે વજીરાબાદમાં રેલીમાં ફાયરીંગ થયું છે. આ ઘટનામાં ઇમરાન ખાન સહિત 6 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચાર છે. પોલીસે ગોળીબારીના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. પોલીસ ફાયરિંગ કરવાનું કારણ વિશે તપાસ કરી રહી છે.
#WATCH | A firing occurred near the container of former PM and Pakistan Tehreek-e-Insaf (PTI) chairman Imran Khan near Zafar Ali Khan chowk in Wazirabad today. Imran Khan sustained injuries on his leg; a man who opened fire has been arrested.
— ANI (@ANI) November 3, 2022
(Video Source: Reuters) pic.twitter.com/Qe87zRMeEK
પોલીસના જણાવ્યા અનુસાર ઇમરાન ખાન ગુરુવારે વજીરાબાદ વિસ્તારમાં માર્ચ કાઢી રહ્યા હતા. તે દરમિયાન ઇમરાન ખાનના કન્ટેનર પાસે ફાયરિંગ કરવામાં આવ્યું હતુ. આ ઘટનામાં પગમાં ગોળી વાગવાથી ઇમરાન ખાન ઈજાગ્રસ્ત થયા છે. તેમના મેનેજર સહિત 5 સમર્થકોને પણ ગોળી વાગી છે. ફાયરિંગ બાદ ઇમરાન ખાનના સમર્થક તેમને બુલેટ પ્રૂફ કારમાં ત્યાંથી હોસ્પિટલ લઈ ગયા હતા. હાલ ઈમરાન ખાનની સારવાર ચાલી રહી છે. તો બીજી તરફ ઈજાગ્રસ્ત થયેલા ઇમરાન ખાનના એક સમર્થકનું હોસ્પિટલમાં મોત થયું છે. આ સિવાય પૂર્વ રાજ્યપાલ ઈમરાન ઈસ્મેલ પણ ગોળી વાગવાથી ઈજાગ્રસ્ત થયા છે.
‘ડોન ન્યૂઝ’ અનુસાર, જે કન્ટેનર પર ઈમરાન રેલી કાઢી રહ્યા છે, તેની નજીકથી ફાયરિંગ થયું હતું. તે પંજાબના વજીરાબાદ વિસ્તારમાં આવે છે. ઈમરાને ગયા અઠવાડિયે શાહબાઝ શરીફ સરકારના રાજીનામા અને તાત્કાલિક સામાન્ય ચૂંટણીની માંગ સાથે લોંગ માર્ચ શરૂ કરી હતી. આ લોંગ માર્ચની શરૂઆતથી અત્યાર સુધીમાં અલગ-અલગ કારણોસર એક મહિલા પત્રકાર સહિત ત્રણ લોકોનાં મોત થયાં છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
