Homeગામનાં ચોરેલાલુપુત્ર તેજ પ્રતાપની અગરબત્તી કંપનીના 71 હજાર એનો જ માર્કેટિંગ મેનેજર ઉઠાવી...

લાલુપુત્ર તેજ પ્રતાપની અગરબત્તી કંપનીના 71 હજાર એનો જ માર્કેટિંગ મેનેજર ઉઠાવી ગયો

Team Chabuk- National Desk: અવાર નવાર રાજકારણ સિવાયની પ્રવૃત્તિના કારણે ચર્ચામાં રહેતા લાલુ પ્રસાદ યાદવના જ્યેષ્ઠ પુત્ર તેજ પ્રતાપ યાદવ હવે એક અન્ય કારણોસર ચર્ચામાં આવ્યા છે. તેમની સાથે ઠગાઈ આચરવામાં આવી છે. આ ઠગાઈપણું અન્ય કોઈએ નહીં પણ તેમની જ કંપનીના કર્મચારીએ આચર્યું છે. આરોપ લાગ્યો છે કે કર્મચારીએ 71 હજાર રૂપિયા પોતાના ખાતમાં નખાવી લીધા. કર્મચારીની વિરૂદ્ધ તેજ પ્રતાપ યાદવે એસકે પુરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે અને તાત્કાલિક કાર્યવાહીની માગ પણ કરી છે.

પોલીસ સ્ટેશનમાં નોંધવવામાં આવેલી ફરિયાદના અનુસાર તેજ પ્રતાપ યાદવે જુલાઈમાં અગરબત્તી બનાવવાની કંપની શરુ કરી હતી. આ કંપનીમાં માર્કેટિંગનું કામ કરનારા આશીષ રંજને પોતાના ખાતામાં 71 હજાર રૂપિયા નખાવ્યા હતા. આરોપ એવો લાગ્યો છે કે, આપવામાં આવેલી આ રકમ કંપનીના ખાતામાં જવી જોઈતી હતી, પણ આશીષ રંજને ઠગપણું આચરીને છેતરપિંડી કરતા રકમ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી દીધી છે. ઘરનો જણ જ સાપ નીકળવાની બાતમી તેજ પ્રતાપ યાદવને મળ્યા બાદ તેમણે આશીષની વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

તેજ પ્રતાપ યાદવે પોતાના પિતા લાલુ પ્રસાદ યાદવ અને માતા રાબડી દેવીના નામથી એલઆર રાધા કૃષ્ણા અગરબત્તી નામની કંપની શરુ કરી હતી. આ કંપનીનો શોરૂમ પણ છે. જણાવવામાં આવી રહ્યું છે કે અહીં બનનારી અગરબત્તી કેમિકલ મુક્ત હોય છે અને તેને મંદિરની બહાર ફેંકવામાં આવતા ફૂલ દ્વારા બનાવવામાં આવે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments