ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં રવિવારનો વાર ગોઝારો સાબિત થયો હતો. અહીંના મુરાદનગર સ્મશાન ઘાટનું નિર્માણ કાર્ય થઈ રહ્યું હતું એ વખતે જ વરસાદના કારણે ગેલેરીની છત પડી જવાથી 19 લોકોના દબાઈને મોત થઈ ગયા. જે મૃતકના અંતિમ સંસ્કાર થતાં હતા તેમના પુત્રનું પણ કાટમાળમાં દબાઈ જતાં મોત નિપજ્યું છે. હજુ પણ કેટલાય લોકો કાટમાળ નીચે દબાયેલા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. તંત્રએ પણ તાત્કાલિક દુર્ઘટના સ્થળે પહોંચી જતા કાટમાળમાં ફસાયેલા ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવાની વ્યવસ્થા કરી છે.
આ અંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ છત પડી જવાની ઘટના પર નિવેદન આપતા કહ્યું કે, મેં જિલ્લા અધિકારીઓને રાહત અભિયાન ચલાવવા અને ઘટનાની રિપોર્ટ પ્રસ્તુત કરવા નિર્દેશ આપ્યો છે. ઘટનાથી પ્રભાવિત થયેલા દરેક વ્યક્તિને સંભવ મદદ કરવામાં આવશે.
UP CM Yogi Adityanath takes cognizance of roof collapse incident in Muradnagar, Ghaziabad district.
— ANI UP (@ANINewsUP) January 3, 2021
“I’ve instructed district officials to conduct relief operations & submit a report of incident. All possible help will be provided to those affected by the incident,” he said. pic.twitter.com/3Kt6ECqIz7
દિલ્હીના NCRમાં સવારથી વરસાદી માહોલ છે. વરસાદ પડવાના કારણે જ આ ઘટના બની હોવાનું પ્રાથમિક રિપોર્ટમાં સામે આવી રહ્યું છે. આ ઘટના જે સ્મશાન ઘાટમાં બની ત્યાં કેટલાક લોકો અંતિમ સંસ્કાર માટે આવેલા હતા. આ વિશે પોલીસનું કહેવું છે કે, ગાઝિયાબાદના મુરાદનગર વિસ્તારના ઉખલારસી ગામડાના એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું હતું. તેમના પરિવારજનો અને સંબંધીઓ ડેડબોડી લઈ સ્મશાને પહોંચ્યા હતા. અને એ સમયે જ આ ઘટના બની હતી.
Defence Minister Rajnath Singh expresses grief over the incident of roof collapse in Muradnagar of Ghaziabad district that claimed lives of 17 people. pic.twitter.com/OnFNq8VHLR
— ANI UP (@ANINewsUP) January 3, 2021
પોલીસ આ ઘટના બન્યાના ટૂંક સમયમાં જ ત્યાં પહોંચી ગઈ અને કાટમાળ હેઠળ દબાયેલા લોકોને કાઢવા લાગી હતી. સ્થાનિક તંત્ર અને અધિકારીઓને પણ આ વાતની જાણ થતાં તેઓ પણ સ્મશાને પહોંચી ગયા હતા અને યુદ્ધના ધોરણે કામગીરી આદરી દીધી હતી. જેમાં ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આંખે જોનારાઓનું કહેવું છે કે છતનું કદ ઘણું જ મોટું હતું. બચાવકાર્ય માટે ક્રેનની પણ મદદ લેવામાં આવી રહી છે.
17 people have died so far while 38 people have been rescued after a shed collapsed in Muradnagar. We’ve started a probe & we’ll take strict action against those found guilty: Anita C Meshram, Divisional Commissioner, Meerut on Muradnagar roof collapse incident https://t.co/4geUbeviit pic.twitter.com/PgrXJ0ftY6
— ANI UP (@ANINewsUP) January 3, 2021
गाजियाबाद: मुरादनगर में बारिश की वजह से छत गिरी, क़रीब 10-12 लोगों के फंसे होने की आशंका है। बचाव अभियान चल रहा है। pic.twitter.com/1WUHO5MLys
— ANI_HindiNews (@AHindinews) January 3, 2021
આંખે દેખ્યો સમગ્ર અહેવાલ જોનારા પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે, તેમના દાદાનો અંતિમ સંસ્કાર ચાલી રહ્યો હતો અને બાકીના લોકો દૂર ઊભા હતા. એટલામાં જોરથી અવાજ આવ્યો. લોકો એ તરફ ભાગ્યા. જોયું તો છતમાં ઘણા લોકો દબાય ગયા હતા. પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, આ દુર્ઘટનામાં તેમના કાકાનું પણ મોત થઈ ગયું છે. જ્યારે તેમના કાકાનો દીકરો હજુ પણ કાટમાળની નીચે દબાયેલો છે. પ્રત્યક્ષદર્શીના પિતાના ખભા પર ઈજા પહોંચી છે.
કેરળમાં બસ દુર્ઘટના
દેશમાં રવિવારના દિવસે જ બીજી મોટી દુર્ઘટના કેરળમાં બની હતી. કર્ણાટકથી લગ્ન માટે આવેલી બસ એક મકાનમાં ઘુસી ગઈ હતી. આ ઘટના પંથૂર વિસ્તારના રાજપુરમમાં બની હતી. બસમાં 70 જાનૈયાઓ સવાર હતા. જેમાંથી 33 લોકો સારવાર હેઠળ છે. તો પાંચ લોકોના કમકમાટીભર્યા મોત નીપજી ચૂક્યા છે. આ અંગે કેરળના મુખ્યપ્રધાન પિનરાઈ વિજયને પણ દુઃખ વ્યક્ત કર્યું હતું અને મૃતકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
Kerala: 5 killed, several injured when a bus, in which a marriage party from Karnataka was travelling, crashed into a house after losing control near Panathoor area in Rajapuram, Kasargod pic.twitter.com/1hgnBotjA2
— ANI (@ANI) January 3, 2021
#UPDATE There were about 70 people on the bus. Out of 44 being treated, 33 people are undergoing treatment at Kanhangad district hospital. 5 died at Putankal Taluk Hospital & 1 died at Kanhangad district hospital: Kasaragod District Collector, Kerala https://t.co/TZwur3x1BR
— ANI (@ANI) January 3, 2021
Kerala: Chief Minister Pinarayi Vijayan expressed his condolences over the death of five Karnataka natives when a bus carrying a wedding party overturned on a house in Kasargod.
— ANI (@ANI) January 3, 2021
He said that that medical facilities have been set up for the injured. https://t.co/TZwur3x1BR
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત