ગોવાબાપા : તો ચાબુક સુપ્રીમ કોર્ટે ખેડૂતો અને સરકાર વચ્ચે સમાધાન થાય એટલા માટે કમિટી બનાવી. કમિટી બન્યા પછી એવા આક્ષેપ થવા લાગ્યા છે કે આ તો સરકારની જ કમિટી છે. સોશિયલ મીડિયા પર પણ આવી વાતો થતી હતી. હવે ખબર છે કે આ પેનલમાંથી ભારતીય કૃષિ સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ ભુપિન્દર સિંહે નામ ખેંચી લીધું છે.
81 વર્ષીય ભુપિન્દર સિંહનું નામ જ્યારે સામે આવ્યું ત્યારથી જ વિવાદ થવા લાગ્યો હતો. ખેડૂતો જ પેનલ લિસ્ટની આલોચના કરી રહ્યા હતા. એવામાં ભુપિન્દર સિંહ માને એક નિવેદન સામે રાખી કીધું ચાબુક કે, ‘‘કેન્દ્ર સરકાર તરફથી લાવવામાં આવેલા ત્રણે કૃષિ કાયદાઓ પર ખેડૂત સંગઠનો સાથે વાતચીત શરુ કરવા માટે સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયાની તરફથી મને નામાંકિત કરવા બદલ હું એમનો આભાર વ્યક્ત કરું છું. ખુદને એક ખેડૂત અને સંગઠનના નેતાની રીતે જોતા, સાથે જ ખેડૂત સંગઠનો અને સામાન્ય લોકોની ધારણાઓને જોતા, હું આ ઓફરનો ત્યાગ કરવા માટે તૈયાર છું, જે મને આપવામાં આવી છે, કારણ કે પંજાબ અને દેશના ખેડૂતોના હિતની સાથે સમજૂતી નહીં કરી શકું. હું પેનલમાંથી ખૂદને હટાવું છું અને હંમેશાં ખેડૂતો અને પંજાબની સાથે ઊભો રહીશ. ’’
Bhupinder Mann, a member of the SC-formed committee over #FarmLaws, recuses himself from it.
— ANI (@ANI) January 14, 2021
“In view of prevailing sentiments & apprehensions amongst farm unions & public, I’m ready to sacrifice any position so as not to compromise Punjab & farmers’ interests,” his letter reads
હવે ચાબુક બાકીના જે ત્રણ લોકો કમિટીમાં રહ્યા છે એમના નામ છે ડો. પી.કે.જોશી, અશોક ગુલાટી અને અનિલ ઘનવંત.
દુકાનો પાછી ખોલો
ગઈકાલે ચાબુક આપણે દિલ્હીના બર્ડ ફ્લૂની વાત કરી હતી. તે તો મને નીચોવી નાખ્યો હતો. એક એક વાત મારી પાસેથી જાણી લીધી હતી. હવે હું તો બર્ડ ફ્લૂએ કાળોકેર વર્તાવ્યો હતો ત્યારે જીવતો જ હતો. એટલે તો મને આ વિશેની પાક્કાપાયે ખબર હોય. કાલ શું વાત હતી એનું અનુસંધાન તો તને ખબર જ છે કે, દિલ્હીમાં ચિકન વેચનારા લોકોની દુકાનો તંત્રએ બંધ કરી હતી. બંધ કરવાનું કારણ કેટલાક પક્ષીઓમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ હતી.
Samples taken from poultry markets have tested negative for #BirdFlu. I have directed to open the poultry market & withdraw the orders to restrict trade & import of chicken stocks: Delhi CM Arvind Kejriwal
— ANI (@ANI) January 14, 2021
(file photo) pic.twitter.com/qDZFgX3yfV
હવે આજે મુરઘાઓની મંડી ખોલવાના દિશા નિર્દેશ આપી દીધા છે. દિલ્હી સરકારે આ નિર્ણય ત્યારે લીધો જ્યારે બર્ડ ફ્લૂ માટે મોકલવામાં આવેલા સેમ્પલ નેગેટિવ આવ્યા. આ વિશે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ‘‘મેં આદેશ આપ્યા છે કે મુરઘાઓની દુકાનોને ખોલી દેવામાં આવે. આ સાથે જ મુરઘીની આયાત અને વેપાર ઉપર લગાવવામાં આવેલી અટકાયતને પુન:વેગવંતુ કરવાનો આદેશ આપું છું.’’
હવે તને કઉં તો બર્ડ ફ્લૂની આશંકાને જોતા દિલ્હીની સરકારે 9મી જાન્યુઆરીના રોજ મુરઘાઓની દુકાનને બંધ કરવાનો આદેશ આપ્યો હતો. ટેસ્ટ માટે કેટલાક સેમ્પલ જલંધર મોકલવામાં આવ્યા હતા જેમાં બર્ડ ફ્લૂની પુષ્ટી નહોતી થઈ. છતાં મુરઘા લઈ ગયા ત્યારે નહીં ને એકમાંથી બીજામાં અને બીજામાંથી ત્રીજામાં એમ કરતો ફેલાય ત્યાં જ અગમચેતીના પગલારૂપે અરવિંદ કેજરીવાલે ઝાડુ મારી દીધું.
રાહુલ ગાંધી શું શું બોલ્યા ?
ખેડૂતોના આંદોલનને 50 દિવસ ઉપર થઈ ગયા ચાબુક. ખેડૂતો ત્રણ નવા કૃષિ કાયદાઓને પરત લેવાની માગ કરી રહ્યા છે. વિપક્ષી પાર્ટી કોંગ્રેસ પણ કૃષિ કાયદાઓને પરત લેવા મુદ્દે મોદી સરકાર પર વારંવાર હુમલાઓ કરી રહી છે. હવે આઈજે જ રાહુલ ગાંધી તમિલનાડુની મુલાકાતે ગયા હતા. જ્યાં એમણે કહ્યું કે, ‘‘સરકાર ખેડૂતોને નજર અંદાજ નથી કરી રહી પણ તેમને બરબાદ કરી નાખવાનું ષડયંત્ર રચી રહી છે. સરકાર ખેડૂતોને એ માટે બરબાદ કરવાની કોશિશ કરી રહી છે કારણ કે તે પોતાના બે ત્રણ મિત્રોને લાભ પહોંચાડવા માગે છે.’’
એ પહેલા રાહુલ ગાંધીએ તમિલનાડુની પરંપરાગત રમત જલ્લીકટ્ટુને નિહાળી હતી. એ પછી એમણે કહ્યું કે, ‘આ પ્રવાસનો હેતુ એ લોકોને સંદેશ આપવાનો છે, જે વિચારે છે કે તમિલ લોકોની સાથે ખરાબ વર્તન કરી શકાય છે. આ રમત તો તમિલ સંસ્કૃતિનું જીવંત સ્વરૂપ છે.’
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત