Team Chabuk-National Desk: ભારે નુકસાન અને દેવાના ડુંગર તળે દબાયેલી સરકારી વિમાન કંપની એર ઈન્ડિયાને ભારે કશ્મકશ બાદ તેનો માલિક તો મળી ગયો પણ છેલ્લા દસ વર્ષથી આ વિમાની કંપનીએ કર દેનારાઓના 1,57,339 રૂપિયા હવામાં ઉડાવી દીધા છે. ડિસેમ્બર મહિનામાં કંપનીની કમાન ટાટા સમૂહને સોંપ્યા સુધી સરકારને તેની પાછળ ભારે રકમ ખર્ચ કરવી પડશે.

બજારના નિષ્ણાતોનું કહેવું છે કે, એર લાઈન્સને ચલાવવા માટે સરકારને અત્યાર સુધીમાં એક મોટી રકમ ખર્ચ કરવી પડી છે. ટાટા સમૂહને કંપનીની કમાન સોંપ્યા બાદ પણ સરકારના ભાગમાં મોટી જવાબદારી રહે છે. જેની ચૂકવણી પણ કરદાતાઓના પૈસે જ કરવામાં આવશે. 2009-10થી અત્યાર સુધીમાં એર ઈન્ડિયાની પાછળ ખર્ચેલી રકમમાં સૌથી વધારે ભાગીદારી દેવું અને ચૂકવણીની જ રહી છે. 2019માં સરકારે સ્પેશિયલ પર્પઝ વ્હીકલ હેઠળ નવી કંપની એર ઈન્ડિયા એસેટ હોલ્ડિંગ લિમિટેડ બનાવી અને તેમાં 29,464 કરોડ રૂપિયા નાખ્યા હતા. એટલે કે કંપની ખરીદરનારા સમૂહને આ પૈસાનું ચૂકવણું કરવાનું રહેતું નથી. પણ સરકાર ચૂકવણી કરશે.

વિનિવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સરકારની પાસે એર ઈન્ડિયાની નોન કોર સંપત્તિ બચશે. જેમાં ભૂમિ, પવન, ભવન, પેન્ટિંગ, હોટલ વગેરેનો સમાવેશ થાય છે. વિશ્લેષકોનું અનુમાન છે કે આ સંપત્તિની કુલ કિંમત 14,718 કરોડ રૂપિયા છે. જેમાં 7-8 હજાર કરોડની ભૂમિ, 3-4 હજાર કરોડના ભવન, પેન્ટિગ અને અન્ય સામાનોની અંદાજીત કિંમત 2000 કરોડ રૂપિયા હશે. જોકે આ કિંમત પર કોઈ ખરીદદાર મળવું એ આકરું છે. આ સિવાય સરકારની પાસે એર ઈન્ડિયાની ચાર સંબંધિત કંપનીઓની જવાબદારી પણ રહેશે. જેની કિંમત આશરે 1,000 કરોડ રૂપિયા હશે. આ સંપત્તિઓના ખરીદનારા મળવા પણ મુશ્કેલ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત