Homeતાપણુંગુજરાતની આમ આદમી પાર્ટી જીતુભાઈને પાનો ચડાવે છે, પોસ્ટર શેર કરી લખ્યું,...

ગુજરાતની આમ આદમી પાર્ટી જીતુભાઈને પાનો ચડાવે છે, પોસ્ટર શેર કરી લખ્યું, ‘ડિબેટથી ડરી ગયા જીતુભાઈ?’

Team Chabuk-Political Desk: દિલ્હીના શિક્ષણમંત્રી મનીષ સિસોદીયાએ જીતુ વાઘાણીને ઓપન ડિબેટની ચેલેન્જ આપી છે. ગઈકાલે તેમણે એક વીડિયો પણ જાહેર કર્યો હતો જેમાં તેઓ માત્ર ગુજરાતના શિક્ષણમંત્રીને જ નહીં પણ મુખ્યમંત્રીને પણ દિલ્હીની શાળાઓમાં પધારવાનું આમંત્રણ પાઠવી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમે સારું કામ કરીએ છીએ. હવે આ વિવાદમાં આમ આદમી પાર્ટી ગુજરાતે જંપ લાવ્યું છે અને ગુજરાતના શિક્ષણમંત્રીને પાનો ચડાવી રહ્યા છે. આજે આમ આદમી પાર્ટી ગુજરાતના ફેસબુક પેજ પર જીતુ વાઘાણીની તસવીર શેર કરવામાં આવી હતી. જેમાં હેશટેગ જીતુભાઈ ડિબેટ કરો લખવામાં આવ્યું હતું અને પોસ્ટની નીચે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે ડિબેટથી ડરી ગયા જીતુભાઈ?

Jitubhai

આ વિવાદની શરુઆત ટ્વીટથી થઈ હતી. ગુજરાતની ભારતીય જનતા પાર્ટીએ અરવિંદ કેજરીવાલના શિક્ષણ વિભાગની ઉપર કેટલીક ટ્વીટ કરી હતી. જ્યાં કોમેન્ટમાં આમ આદમી પાર્ટીએ ભાજપને જવાબ આપ્યા હતા. એ જવાબ પછી દિલ્હીના શિક્ષણમંત્રી મનીષ સિસોદિયાએ ગુજરાતના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીને સ્થળ અને સમય તમે નક્કી કરો ડિબેટ કરીએ અંગેનો ટ્વીટ મારફતે પડકાર ફેંક્યો હતો.

મનીષ સિસોદીયાએ હિન્દીમાં ટ્વીટ કરી લખ્યું હતું કે, ‘કાલથી ગુજરાત ભાજપ દિલ્હીની શાળાઓની વિરુદ્ધ ટ્વીટ કરી રહી છે. ગુજરાતમાં આપના વધી રહેલા પ્રભાવ અને પંજાબ ચૂંટણીના પરિણામોથી તમને ગુસ્સો આવી રહ્યો છે. ભાજપ શિક્ષણની વાત ન કરે તો જ સારું છે. હું ગુજરાતના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીજીને ડિબેટ માટે પડકાર ફેંકુ છું. સ્થળ અને સમય તમારો.’

જીતુભાઈ વાઘાણીએ દિલ્હીના શિક્ષણમંત્રી મનીષ સિસોદીયા તરફથી મળેલી ખુલ્લી ચેલેન્જ વિશે કહ્યું હતું કે, ‘હું કોઈ રાજ્યની સરખામણી ગુજરાત સાથે કરવા નથી માગતો. કેટલાક લોકો સત્તાના મદમાં આવીને નિવેદનો કરતા હોય છે. જે 28 વર્ષથી સત્તામાં હોય તેમની સાથે સરખામણી જ ન કરી શકાય. ગુજરાતની જનતા સચ્ચાઈ જાણે છે.’

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments