Homeગામનાં ચોરેદેશમાં કોરોનાના 43,159 કેસ સામે અડધે અડધા કેસ આ એક રાજ્યમાંથી જ...

દેશમાં કોરોનાના 43,159 કેસ સામે અડધે અડધા કેસ આ એક રાજ્યમાંથી જ સામે આવતા આ તારીખ સુધી લોકડાઉન

Team Chabuk-National Desk: કોરોના મહામારીએ ફરી એક વખત માથું ઉંચક્યું છે. દેશમાં એકાએક વધી રહેલા કેસના કારણે ત્રીજી લહેરની આશંકા પેદા થઈ છે. કેરળમાં સંક્રમણનો દર વધી રહ્યો છે. કોરોના સંક્રમણ પર કાબૂ મેળવવા માટે કેરળની સરકારે તારીખ 31 જુલાઈથી 1 ઓગસ્ટ સુધી સંપૂર્ણ લોકડાઉન લાદી દેવાનું એલાન કર્યું છે.

કેરળમાં અચાનકથી કોરોનાના કેસમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. સરકારે રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્રની બે ટીમો કેરળ રવાના કરી દીધી છે. નિર્દેશકની અધ્યક્ષતામાં છ ટીમો મોકલી દેવામાં આવી છે. સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, કેરળ રાજ્યની ટીમની સાથે કેન્દ્રની ટીમ મળી કોરોનાને કાબૂમાં લાવવાનો પ્રયાસ કરશે.

જણાવી દઈએ કે દેશમાં છેલ્લા 24 કલાકમાં 43,159 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 38,525 લોકો ઠીક થયા છે. સામે 640 દર્દીઓનાં મોત થયા છે. દેશમાં સૌથી વધારે ચિંતા કેરળ માટે છે. અહીં બુધવારના રોજ એક જ દિવસમાં 22,056 લોકો સંક્રમિત મળ્યા હતા. જે દેશભરના સંક્રમિતો કરતા અડધા છે.

દેશના કેટલાક રાજ્યોમાં જાણે સંપૂર્ણ લોકડાઉન હોય એવી પાબંધીઓ લાદી દેવામાં આવી છે. આ રાજ્યોમાં પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, ઓરિસ્સા, તમિલનાડુ, મિઝોરમ, ગોવા અને પડ્ડુચેરીનો સમાવેશ થાય છે. અહીં ગત વખતના લોકડાઉન જેટલા જ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યા છે.

જણાવી દઈએ કે છેલ્લા કેટલાય સમયથી કોરોનાની ત્રીજી લહેર આવવાની હોવાની આશંકા નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ વચ્ચે વિવિધ સંશોધનોમાં મેક્સિમમ વેક્સિનેશન એ જ બચવાના ઉપાય તરીકે ગણવામાં આવે છે. ત્યારે આવનારા દિવસોમાં કેરળ કોરોનાને કેવી રીતે ડામે છે, ઉપરાંત અન્ય રાજ્યોમાં કેસ વધે છે કે પછી કાબૂમાં રહે છે તેના પર સૌની નજર રહેશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments