Team Chabuk-National Desk: આંધ્રપ્રદેશની એક યુવા મહિલા મજૂર ખેડૂત સાકે ભારતી ચર્ચામાં છે. સાકે ભારતીએ શિક્ષણ માટેની મર્યાદિત તકો અને સંસાધનોની અછત જેવા અનેક પડકારોનો સામનો કર્યો. તેમ છતાં, તેમણે રસાયણશાસ્ત્રમાં પીએચડી (PhD) પૂર્ણ કરીને એક ઉદાહરણ સ્થાપિત કર્યું.
ભારતી એક ખેતમજૂર, માતા અને પત્નીની ભૂમિકા ભજવતી વખતે એક વિદ્યાર્થી તરીકેની પોતાની જવાબદારીઓ પણ નિભાવી હતી. તેણે શ્રી કૃષ્ણ દેવરાજ યુનિવર્સિટીમાં પીએચડી પ્રોગ્રામમાં પ્રવેશ મેળવ્યો. ગરીબ પરિવારમાં જન્મેલી ભારતી તેના પરિવારની સૌથી મોટી પુત્રી છે. નાની ઉંમરે લગ્ન થઈ ગયા. લગ્ન પછી પણ તેણે સપના જોવાનું બંધ ન કર્યું અને સખત અભ્યાસ કર્યો. ભારતીને જીવનમાં ઉચ્ચ સ્તરે પહોંચવાની આશા હતી.

12મા પછી લગ્ન કર્યા
તેમના બાળપણમાં ગરીબીએ તેમના અભ્યાસમાં ઘણા અવરોધો ઉભા કર્યા. ભારતીએ 12મા ધોરણ સુધીનું શિક્ષણ સરકારી શાળામાંથી પૂર્ણ કર્યું હતું. આ પછી પિતાએ પણ કૌટુંબિક સંજોગોને કારણે તેના લગ્ન કરાવી દીધા. સાસરે આવ્યા બાદ તેણે પતિ સાથે ભણવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પછી તેના પતિના પ્રોત્સાહનથી, તેણીએ જે જોઈએ તે બધું પ્રાપ્ત કર્યું. તેમણે સખત અભ્યાસ કર્યો અને પીએચ.ડી. ડીગ્રી પ્રાપ્ત કરી. તેણે સાબિત કર્યું કે ગરીબી કે સંજોગો શિક્ષણમાં અવરોધ નથી. હવે ‘ભારતી’ની સક્સેસ સ્ટોરી ઘણા લોકોને પ્રેરણા આપી રહી છે.
પતિ હંમેશા સાથ આપે છે
ભારતીના પતિ શિવપ્રસાદ હંમેશા તેને ભણવા માટે પ્રોત્સાહિત કરતા. લગ્ન પછી તેને એક સંતાન થયું. તેમ છતાં તેણે અભ્યાસ પ્રત્યેની નિષ્ઠા છોડી ન હતી. ભારતીને ભણવું હતું, તેથી તે માત્ર ઘર સંભાળતી જ નહીં પરંતુ ખેતરોમાં મજૂરી પણ કરતી. બાળકોના ઉછેરની સાથે તેણે પોતાનું કામ અને અભ્યાસ ચાલુ રાખ્યો. આ બધા સાથે તેણે અનંતપુરની SSBN કોલેજમાંથી સ્નાતક અને અનુસ્નાતક પૂર્ણ કર્યું.
ઘરના કામકાજ કર્યા પછી સવારે વહેલા ઊઠીને તે કેટલાય કિલોમીટર ચાલીને જતી અને પછી બસમાં કૉલેજ જતી. ઘરે પરત ફર્યા બાદ તે ખેતરોમાં કામ કરતી હતી. તેના શિક્ષકોના કહેવા પર, તેણે પીએચડીમાં પ્રવેશ મેળવ્યો અને હવે તેની ડિગ્રી પૂર્ણ કરીને દરેકનું નામ રોશન કર્યું છે. ભારતી હવે કોલેજમાં પ્રોફેસર બનવા માંગે છે.
તાજેતાજો ઘાણવો
- પહેલગામમાં આતંકી હુમલામાં 26 પ્રવાસીઓના મોત, આતંકીઓએ નામ પૂછીને ગોળી મારી
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ