Team Chabuk-health Desk: પીરિયડ્સના ભારે રક્તસ્ત્રાવની સાથે, પેટનું ફૂલવું, શરીરમાં દુખાવો અને પેટમાં મરોડ જેવી સમસ્યાઓ પણ આવે છે. આવી સ્થિતિમાં ડાયટ મુદ્દે પણ નિષ્ણાતની સલાહ એવી જરૂરી બની જાય છે. આ મુદ્દે કેટલાક મિથક પણ છે. એક એવી પણ માન્યતા છે કે, પીરિયડ દરમિયાન મહિલઓએ ખાટું ન ખાવું જોઇએ, જે વધુ રકતસ્ત્રાવ અને દુખાવાનું કારણ બની શકે છે.
હેલ્થ એક્સ્પર્ટ મુજબ આમાં કંઇ સત્ય નથી. આ સાથે એક સામાન્ય માન્યતા એવી પણ છે કે, પીરિયડ્સ દરમિયાન મહિલાઓએ દહીં ખાવાનું ટાળવું જોઈએ. આવો તમને જણાવીએ કે આ અંગે નિષ્ણાતોનો શું અભિપ્રાય છે.
શું પીરિયડ્સમાં દહીં-છાશનું સેવન કરી શકાય?
પીરિયડ્સ દરમિયાન ખાટા પદાર્થ અથવા દહીં-છાશનું સેવન ન કરવું તે એક ખોટી જુની માન્યતા છે. પીરિયડ્સ દરમિયાન દહી ખાવાથી કોઇ પણ પ્રકારની પરેશાની નથી વધતી. દહીને સ્વસ્થ આંત બેકટેરિયાને વધારવા માટે ઉતમ મનાય છે. તેનાથી સોજો અને કબજિયાતની શક્યતા પણ ઓછી થઇ જાય છે. જે મોટાભાગની મહિલાઓને પીરિયડ દરમિયાન થાય છે.
શું છે એક્સ્પર્ટનો અભિપ્રાય?
નિષ્ણાતો કહે છે કે, કેલ્શિયમના સારા સ્ત્રોત તરીકે દહીં હાડકાં અને શરીરને પૂરતી શક્તિ આપવામાં મદદ કરે છે. આ ઉપરાંત, દહીંના પ્રોબાયોટિક ગુણધર્મો પેટનું ફૂલવું અને અન્ય પાચન સમસ્યાઓ ઘટાડવાનું કામ કરે છે. આ ઉપરાંત પીરિયડ્સ દરમિયાન દહીંનું સેવન કરવાથી ચિંતા અને ડિપ્રેશનમાં ઘટાડો થાય છે. આ સાથે, તે માંસપેશીઓમાં દુખાવો અને ખેંચાણથી પણ રાહત આપે છે.
પીરિયડસમાં કેવી રીતે દહીં ખાઇ શકાય?
પીરિયડ્સમાં પણ દહી કોઇ પણ રીતે ખાઇ શકો છો. જો કે તેની સૌથી સારી રીત લસ્સી, છાશ અને સ્મૂધી છે. આ રીતે દહીંનું સેવન શરીરને હાઇડ્રેઇટ રાખે છે અને ભરપૂર પોષણ આપે છે. આપ દહીમાં નટ્સ અને ફળો મિક્સ કરીને પણ ખાઇ શકો છો.
રાત્રે અને સાંજે ન ખાઇ શકાય દહીં?
એક્સ્પર્ટનું માનવું છે કે, આ સુપરફૂડનું સેવન કોઇ પણ સમયે કરી શકાય છે. જો કે કેટલીક કંડીશનમાં દહીં રાત્રે ન લેવું જોઇએ. જો આપને ખાંસી, શરદી અને અસ્થમાની સમસ્યા હોય તો રાત્રે દહીનું સેવન કરવાનું અવોઇડ કરવું જોઇએ. જો આપની કોઇ આયુર્વૈદિક દવા ચાલતી હોય તો રાત્રે દહીં લેવાનું અને ખાટી વસ્તુ ખાવાનું અવોઇડ કરવું જોઇએ
પીરિયડ્સ દરમિયાન આ ચીજોનું ન કરો સેવન
વધારાના મસાલેદાર ખોરાકને અવોઇડ કરો
વધુ નમકવાળા ફૂડને પણ અવોઇડ કરો
કોફીનું સેવન પણ ટાળો
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત