Team Chabuk-National Desk: ઉત્તર પ્રદેશના ઝાંસી જિલ્લામાં શુક્રવારના રોજ એક બાળકીની થયેલી હત્યાનો કોયડો ઉકેલાય ગયો છે. ઝાંસી પોલીસે આ કેસ માત્ર એક જ દિવસમાં ઉકેલી નાખ્યો હતો. ઝાંસીના મઉરાનીપુરના ગામ ધૌર્રામાં 13 વર્ષીય બાળકીની કુહાડીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી નાખવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર બાળકીની હત્યા તેના જ પિતાએ પ્રેમ પ્રસંગ સહિતના અન્ય કારણોને લઈ કરી હતી.

પિતાએ પોલીસને જણાવ્યું હતું કે, ગામના અન્ય લોકોએ તેની દીકરીની હત્યા કરી નાખી હતી. જોકે તેની ચતુરાઈ અને પોલીસની આંખમાં ધૂળ નાખવાની આ ચાલ કામ નહોતી આવી. પોલીસે કડક શબ્દોમાં પૂછતાછ કરતા તેણે રહસ્યનું પોટલું ખોલી નાખ્યું હતું.

ઝાંસીના મઉરાનીપુરના ગામ ધૌર્રાના રહેવાસી બલ્લુ પ્રજાપતિની પુત્રીની શુક્રવારના રોજ હત્યા કરી દેવામાં આવી હતી. હત્યા એવા સમયે થઈ જ્યારે તે કપડાં ધોઈ પરત આવી રહી હતી. પિતાએ પાડોશીઓ પર હત્યા કરી હોવાનો કેસ નોંધ્યો હતો. તપાસ દરમ્યાન ઘટનામાં કંઈક ભીનું સંકેલાતું હોવાનું દેખાતા પોલીસે ઝીણવટપૂર્વક તપાસ કરી હતી. જેમાંથી પિતાનો કોઈ અન્ય મહિલા સાથે પ્રેમ સંબંધ હોવાનું ખૂલ્યું હતું.

આ પ્રેમ પ્રસંગ અંગે ગામના કેટલાક લોકોને જાણકારી પણ હતી. જેથી હત્યારા પિતાએ આયોજન ઘડ્યું કે પહેલા તેની દીકરીનું કાસળ કાઢી નાખી અને બાદમાં તેની હત્યાનો દોષનો ટોપલો પ્રેમ પ્રસંગની જાણકારી રાખનારા લોકો પર ઢોળી નાખવો. યોજના પ્રમાણે જ બલ્લૂ પ્રજાપતિ પોતાની પુત્રીને ગામની બહાર લઈ ગયો હતો અને ધારદાર કુહાડીથી તેની હત્યા કરી નાખી હતી. પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી સમગ્ર હત્યા ઉપરથી પડદો હટાવ્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત