Team Chabuk-National Desk: યુક્રેનના ખારકીવમાં આજ રોજ એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. વિદેશ મંત્રાયલ દ્વારા આ સમાચારની પુષ્ટિ કરવામાં આવી છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન ફાયરિંગમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે. મૃતક વિદ્યાર્થી કર્ણાટકના ચલાગેરીનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. મૃતક વિદ્યાર્થીનું નામ શેખરપ્પા જ્ઞાનગોદર નવીન છે. અને મૃતક વિદ્યાર્થીની ઉંમર 21 વર્ષની છે.

વિદેશ મંત્રાલયે ટ્વિટ કરીને યુક્રેનના ખારકીવમાં ભારતીય વિદ્યાર્થીના મોતની જાણકારી આપી છે. સાથે જ વિદેશ મંત્રાલયે વિદ્યાર્થીના મોત મામલે દુઃખ વ્યક્ત કર્યું છે અને વિદ્યાર્થીના પરિવારના સંપર્કમાં હોવાની જાણકારી આપી છે. યુક્રેનના ખાર્કિવમાં રશિયાના હુમલામાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. વિદેશ મંત્રાલયે આ જાણકારી આપી છે. મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વીટ કર્યું- અમે જણાવી રહ્યાં છીએ કે ખાર્કિવમાં ગોળીબારમાં એક ભારતીય વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યો તે ખૂબ જ દુઃખદ છે. મંત્રાલય વિદ્યાર્થીના પરિવાર સાથે વાતચીત કરી રહ્યું છે.
With profound sorrow we confirm that an Indian student lost his life in shelling in Kharkiv this morning. The Ministry is in touch with his family.
— Arindam Bagchi (@MEAIndia) March 1, 2022
We convey our deepest condolences to the family.
મહત્વનું છે કે, યુક્રેન સ્થિત ભારતીય દૂતાવાસ દ્વારા આજે જ કોઈપણ સંજોગોમાં ભારતીયોને કિવ શહેર છોડી દેવા નિર્દેશ કર્યો છે. ભારતીય દૂતાવાસે આજે જ કિવ શહેર છોડી દેવા માટેની માર્ગદર્શિકા બહાર પાડી છે. સાથે જ કેન્દ્ર સરકારે પણ વાયુસેનાની મદદથી ભારતીયોને યુક્રેનથી પરત લાવવા માટેની તૈયારીઓ આરંભી દીધી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
