Team Chabuk-Gujarat Desk: મુંબઈમાં જયપુર-મુંબઈ એક્સપ્રેસ ટ્રેનમાં ચાલુ ટ્રેનમાં કોન્સ્ટેબલે અંધાધૂંધ ફાયરિંગ કર્યું જેમાં એક પોલીસકર્મી સહિત કુલ ચાર લોકોના મોત થયા છે. ટ્રેન રાજસ્થાનથી મુંબઈ સેન્ટ્રલ જઈ રહી હતી તે દરમિયાન કોન્સ્ટેબલે ફાયરિંગ કર્યું હતું. મૃતકોમાં RPFના ASI સહિત 3 મુસાફરો છે. ફાયરિંગ કરનારા આરપીએફના ચેતન નામના કોન્સ્ટેબલની ધરપકડ કરી લેવાઈ છે.
આરોપી જવાન દહિસર સ્ટેશન પાસે ટ્રેનમાંથી નીચે ઉતરીને ભાગી ગયો હતો. પશ્ચિમ રેલવેએ જણાવ્યું છે કે આરોપી જવાનને તેના હથિયાર સાથે ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસ જવાનને પૂછપરછ માટે બોરીવલી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે. પોલીસ આરોપીએ આવું શા માટે કર્યું તે જાણવાનો પ્રયાસ કરી રહી છે.

આ ઘટના જયપુર એક્સપ્રેસ (ટ્રેન નંબર 12956)ના કોચ નંબર B5માં બની હતી. આરપીએફ જવાન અને ASI બંને ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. આ દરમિયાન કોન્સ્ટેબલ ચેતને અચાનક ASI પર ગોળીબાર કર્યો હતો, જેના કારણે મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી.
ફાયરિંગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે આરપીએફ કોન્સ્ટેબલ અને તેના સિનિયર એએસઆઈ વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. જે બાદ કોન્સ્ટેબલે ગુસ્સામાં ફાયરિંગ કર્યું હતું અને બંને વચ્ચે થઈ રહેલા ઝઘડામાં વચ્ચે પડેલા મુસાફરો પર પણ કોન્સ્ટેબલે પોતાની સર્વિસ ગનથી ગોળીબાર કરી દીધો હતો. હાલ આ અંગે તપાસ ચાલું છે.
તાજેતાજો ઘાણવો
- નવી જંત્રીના અમલને લઈને મોટા સમાચાર, રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય
- શું લાગે છે RCB આ વખતે IPLનું ટાઈટલ જીતશે કે ? Grokએ આપ્યો રસપ્રદ જવાબ
- યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છૂટાછેડાઃ ફેમિલી કોર્ટે આપ્યો ચુકાદો, બન્ને મોં પર માસ્ક પહેરી પહોંચ્યા કોર્ટ
- આગામી 100 કલાકમાં રાજ્યભરના ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા વિકાસ સહાયનો આદેશ
- ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ત્રીજી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, દુબઈમાં લહેરાવ્યો ત્રિરંગો