Team Chabuk-Sports Desk: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ન્યૂઝિલેન્ડ સામેની 3 મેચની સિરીઝ 2-1થી જીતી લીધી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી અને નિર્ણાયક મેચમાં સ્મૃતિ મંધાનાએ શાનદાર સદી ફટકારી ટીમ માટે મહત્વનું યોગદાન આપ્યું હતું.
ભારતીય ટીમે છેલ્લી વન-ડેમાં ન્યૂઝિલેન્ડ સામે 6 વિકેટે વિજય મેળવ્યો. ભારતે પ્રથમ વન ડેમાં વિજય મેળવ્યો હતો. જોકે ન્યૂઝિલેન્ડ બીજી વન ડેમાં ધમાકેદાર પુનરાગમન કરતાં શ્રેણીમાં 1-1થી બરોબરી મેળવી લીધી હતી. ત્રીજી વન-ડે ભારતે જીત શ્રેણી પોતાના નામે કરી છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ન્યૂઝિલેન્ડ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ન્યૂઝિલેન્ડની ઈનિંગ 49.5 ઓવરમાં 232 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે સ્મૃતિ મંધાનાની સદી (100) અને હરમનપ્રીત કૌરની (59)અણનમ અડધી સદીની મદદથી 44.2 ઓવરમાં 4 વિકેટે 236 રન બનાવીને મેચ જીતી લીધી હતી.
સ્મૃતિ મંધાના અને હરમનપ્રીત કૌરે ત્રીજી વિકેટ માટે 117 રનની ભાગીદારી કરી હતી. સ્મૃતિ મંધાનાએ 122 બોલમાં 10 ચોગ્ગાની મદદથી 100 રન બનાવ્યા હતા. આ તેની 8મી વનડે આંતરરાષ્ટ્રીય સદી છે. આ સાથે જ તે ભારત માટે સૌથી વધારે (8 સદી) વન ડે સદી ફટકારનાર મહિલા પ્લેયર બની છે. તેણે મિતાલી રાજને પછાડી છે. મિતાલીના નામે 7 વન-ડે સદી છે. સ્મૃતિ મંધાનાને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી.
હરમનપ્રીત કૌર 63 બોલમાં 6 ચોગ્ગાની મદદથી 59 રન બનાવી અણનમ રહી હતી. યાસ્તિકા ભાટિયા 49 બોલમાં 35 રન બનાવીને પેવેલિયન પરત ફરી હતી. જેમીમા રોડ્રિગ્સે 18 બોલમાં 4 ચોગ્ગાની મદદથી 22 રનની તોફાની ઈનિંગ રમી હતી. ન્યૂઝિલેન્ડ માટે હેન્ના રોવેએ બે, જ્યારે સોફી ડેવિન અને ફ્રાન જોનાસે એક-એક વિકેટ ઝડપી હતી.
દીપ્તિ શર્માએ 3 વિકેટ ઝડપી હતી.
આ પહેલા ન્યૂઝિલેન્ડ તરફથી બ્રૂક હોલીડેએ 86 રન બનાવ્યા હતા. ન્યૂઝિલેન્ડ માટે જ્યોર્જિયા પ્લીમરે 39, ઇસાબેલા ગેજે 25, લીઆ તાહુહુ 14 બોલમાં 24 રને અણનમ રહી હતી. ભારત માટે દીપ્તિ શર્માએ 10 ઓવરમાં 39 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. 20 વર્ષની પ્રિયા મિશ્રાએ 10 ઓવરમાં 41 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. રેણુકા ઠાકુર સિંહ અને સાયમા ઠાકોર એક-એક વિકેટ ઝડપી હતી.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત