Team Chabuk-International Desk: ઈન્ડોનેશિયામાં ફૂટબોલ મેચ દરમિયાન દોડધામ થઈ જેમા અત્યાર સુધીમાં 127 લોકોના મોત થયા છે જ્યારે 180થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે. પૂર્વ જાવાના કંજુરુહાન સ્ટેડિયમમાં શનિવારે રાત્રે આ દુર્ઘટના બની હતી બની હતી.
મળતી માહિતી મુજબ ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર ઇન્ડોનેશિયાની BRI લીગ-1માં અરેમા એફસી અને પર્સેબાયા સુરબાયા વચ્ચે મેચ ચાલી રહી હતી. આ મેચમાં પર્સબાયાની ટીમ હારી જતાં મામલો બિચક્યો હતો. હારી ગયેલી ટીમના સમર્થકો મેદાનમાં ઉતરી આવ્યા હતા. બીજી તરફ મેદાનમાં ધસી આવેલા લોકોને રોકવા પોલીસે ટીયર ગેસ છોડવો પડ્યો હતો. ત્યારબાદ મામલો વધુ ઉગ્ર બન્યો હતો અને સમગ્ર સ્ટેડિયમમાં નાસભાગ મચી ગઈ હતી.
સમગ્ર ઘટના અંગે સ્થાનિક પોલીસે જણાવ્યું કે આ ઘટનામાં 127 લોકોના મોત થયા છે, જેમાંથી બે પોલીસ અધિકારી છે. સ્ટેડિયમની અંદર 34 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. બાકીના લોકો હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા હતા.
ફૂટબોલ મેચ દરમિયાન 127ના મોત, 180થી વધુ ઈજાગ્રસ્ત#Indonesia #FootballMatchViolence #football pic.twitter.com/e4p0ZcNIP5
— thechabuk (@thechabuk) October 2, 2022
આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં ચાહકો સુરક્ષાકર્મીઓ પર વસ્તુઓ ફેંકતા જોવા મળે છે. ભીડને નિયંત્રિત કરવા પોલીસે લાઠીચાર્જ કર્યો અને ટીયરગેસના સેલ છોડ્યા. ઈન્ડોનેશિયાના ફૂટબોલ એસોસિએશન (PSSI) એ આ ઘટના પર શોક વ્યક્ત કરતું નિવેદન જાહેર કર્યું છે.
તો PSSIએ કહ્યું કે મેચ બાદ શું થયું તેની તપાસ કરવામાં આવશે. આ માટે એક ટીમ મલંગ જવા રવાના થઈ ગઈ છે. પીટી લીગા ઇન્ડોનેશિયા બારુ (LIB)ના અધ્યક્ષ અખ્મદ હાદિયન લુકિતાએ કહ્યું કે અમે આ ઘટનાથી ખૂબ જ દુઃખી છીએ. હું આશા રાખું છું કે તે આપણા બધા છે માટે પાઠ હશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત