Team Chabuk-National Desk: દેશમાં સતત કોરોના મૃતકોની સંખ્યામાં વૃદ્ધિ થઈ રહી છે. લોકો ફરી ડરનો અહેસાસ કરવા લાગ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવારના રોજ આપેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 2 લાખ 9 હજાર 918 લોકો સંક્રમિત થયા હતા. જ્યારે 959 લોકોના મોત થાય છે. આ વચ્ચે 2 લાખ 62 હજાર 628 લોકો સ્વસ્થ થયા હતા. સક્રિય કેસની જો વાત કરવામાં આવે તો હજુ પણ દેશમાં 18 લાખ 31 હજાર 268 કેસ છે. સૌથી ચિંતાજનક વાત એ છે કે મૃતકોની સંખ્યામાં અવિરત વધારો થઈ રહ્યો છે.
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા ગત એક અઠવાડિયાના આંકડાઓ પર નજર કરીએ તો, કોરોના હવે તેના જૂના સ્વરૂપમાં આવવા લાગ્યો છે. હવે લોકો એ ભયમાં જીવી રહ્યા છે કે ક્યાંક ગત વર્ષે મચાવેલા ભયંકર મોતના તાંડવની માફક આ વખતે પણ તેનું પુનરાવર્તન તો નહીં થાય. ફરી એક વખત સ્મશાનમાં લાઈનો, તપી ગયેલી ચીમનીઓ, પરિવારજનોનું કલ્પાંત તો નહીં જોવા મળે? એવામાં છેલ્લા એક અઠવાડિયામાં કોરોનાના કેસના કારણે કેટલા લોકો રોજ મૃત્યુ પામ્યા તેનું ચાબુક ટેબલ જોઈ લઈએ.
અઠવાડિયામાં થયેલા મોતની સંખ્યા
| તારીખ | મોતના આંકડા |
| 31 જાન્યુઆરી | 959 |
| 30 જાન્યુઆરી | 891 |
| 29 જાન્યુઆરી | 871 |
| 28 જાન્યુઆરી | 627 |
| 27 જાન્યુઆરી | 573 |
| 26 જાન્યુઆરી | 665 |
| 25 જાન્યુઆરી | 614 |
સાત દિવસમાં કુલ 5200 લોકો કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે. 25 તારીખના રોજ જે આંકડો 614નો હતો એ 31મી જાન્યુઆરીના રોજ 959 સુધી પહોંચી ગયો છે. કેરળમાં રેકોર્ડ 374 લોકોના મોત થયા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત