Homeગામનાં ચોરેભાજપના બળવાખોર નેતાને PM મોદીનો ફોન, કહ્યું- ચૂંટણીમાંથી હટી જાઓ, કૉંગ્રેસે શેર...

ભાજપના બળવાખોર નેતાને PM મોદીનો ફોન, કહ્યું- ચૂંટણીમાંથી હટી જાઓ, કૉંગ્રેસે શેર કર્યો Video

Team Chabuk-National Desk: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાની ફતેહપુર વિધાનસભા બેઠક પરથી અપક્ષ તરીકે ચૂંટણી લડી રહેલા ક્રિપાલ પરમારને ફોન કરીને ચૂંટણીમાંથી હટી જવા જણાવ્યું હતું. વડાપ્રધાને ભાજપના બળવાખોર ક્રિપાલ પરમારને કહ્યું કે તમે ચૂંટણીમાંથી ખસી જાઓ, હું કંઈ નહીં સાંભળું.

આ દરમિયાન બળવાખોર ક્રિપાલ પરમારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની પીએમને ફરિયાદ કરતા કહ્યું કે નડ્ડા 15 વર્ષથી તેમનું અપમાન કરી રહ્યા છે. આના પર પીએમએ કહ્યું, હું જોઈશ, જો તમારા જીવનમાં મારી કોઈ ભૂમિકા છે, તો તમારે હટી જવું જોઈએ. ત્યારે પરમાર કહે છે તમારો બહુ મોટો રોલ છે.

મારા માટે આ ભગવાનનો આદેશ છે. અંતમાં પરમાર કહે છે કે મોદીજી ફોન બે દિવસ પહેલા કર્યો હોત તો સારું થાત. પીએમ અને ક્રિપાલ પરમારની વાતચીતનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ અંગે લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

કૃપાલ પરમારે કેવી રીતે બળવો કર્યો ?

કૃપાલ પરમાર રાજ્યસભાના ભૂતપૂર્વ સાંસદ છે. તેઓ નરેન્દ્ર મોદી અને પૂર્વ મુખ્યમંત્રી પ્રેમકુમાર ધૂમલની નજીક રહ્યા છે. પરમાર 2012થી વિધાનસભાની ચૂંટણી લડવા માટે ભાજપ પાસે ટિકિટની માંગ કરી રહ્યા છે. 2012માં તેમણે દેહરા વિધાનસભા બેઠક પરથી ટિકિટની માંગણી કરી હતી. પરંતુ, પાર્ટીએ રવિન્દ્ર રવિને મેદાનમાં ઉતાર્યા હતા.

પરમાર 2017માં ચૂંટણી હારી ગયા હતા

2017માં ભાજપે તેમને ટિકિટ આપી હતી, પરંતુ ત્યારબાદ કૃપાલ પરમાર કોંગ્રેસના પૂર્વ મંત્રી સુજાન સિંહ પઠાનિયા સામે ચૂંટણી હારી ગયા હતા. સુજાન સિંહ પઠાનિયાનું 2020માં નિધન થયું હતું.

તેની 2021ની પેટાચૂંટણીમાં ક્રિપાલ પરમારે ફરીથી પાર્ટી પાસે ટિકિટની માંગણી કરી, પરંતુ પાર્ટીએ પરમારને બદલે અર્જુન સિંહને ટિકિટ આપી. પરમાર ત્યારે અપક્ષ તરીકે ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા હતા, પરંતુ મુખ્યમંત્રી જયરામ ઠાકુર તેમને ઉમેદવારી પત્રો સાથે હેલિકોપ્ટરમાં શિમલા લઈ આવ્યા હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments