Homeગામનાં ચોરેલખીમપુર હિંસા કેસમાં મંત્રીના પુત્રની મુશ્કેલી વધી, આશિષ મિશ્રાએ હત્યાનું કાવતરું ઘડ્યું...

લખીમપુર હિંસા કેસમાં મંત્રીના પુત્રની મુશ્કેલી વધી, આશિષ મિશ્રાએ હત્યાનું કાવતરું ઘડ્યું હોવાનો ખુલાસો

Team Chabuk-Gujarat Desk: ઉત્તર પ્રદેશના લખીમપુર હિંસા (lakhimpur violance) કેસમાં આરોપી આશિષ મિશ્રાની (ashish mishra) મુશ્કેલી વધી શકે છે. સીજેએમ કોર્ટે આશિષ મિશ્રા સહિત 14 આરોપીઓ ઉપર કલ 307 લગાવવાનો આદેશ આપ્યો છે. એટલે કે હત્યાના પ્રયાસની કલમ લગાવવા માટે કોર્ટે આદેશ કર્યો છે. હવે કેન્દ્રીય મંત્રીના પુત્ર આશિષ મિશ્રા સહિતના આરોપીઓ સામે હત્યાના પ્રયાસની કલમ લગાવીને તપાસ કરવામાં આવશે. લખીમપુરમાં થયેલી હિંસાને એસઆઈટીએ (SIT) જાણી જોઈને રચેલું ષડયંત્ર ગણાવ્યું છે. એસઆઈટીના તપાસ અધિકારીઓએ આરોપીઓ સામે કલમો વધારવા માટે કોર્ટમાં અરજી કરી હતી.

કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રા મોનુ સહિત 14 આરોપી સામે પહેલા કલમ 279, 338, 304-A અંતર્ગત કેસ દાખલ કરાયો હતો. તેવામાં તપાસ પછી SITએ ઘટનાને સમજી-વિચારી ષડયંત્ર ઘડ્યું હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. જેના પરિણામે તપાસ એજન્સીએ કલમ 307, 326, 302, 34, 120B, 147, 148, 149, 3/25/30 અંતર્ગત કાર્યવાહી કરવા કોર્ટમાં અરજી આપી છે.

મહત્વનું છે કે, ઉત્તર પ્રદેશના લખીમપુરમાં 3 ઓકટોબરના દિવસે ખેડૂતોએ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાનો વિરોધ કરતાં કાળા ઝંડા બતાવ્યા હતા. આ દરમિયાન એક વાહને ખેડૂતોને કચડી નાંખ્યા હતા. જેમાં ચાર ખેડૂતોના મોત થયા હતા. ત્યારબાદ હિંસા ભડકી હતી. હિંસા દરમિયાન એક પત્રકાર સહિત 4 અન્ય લોકોના મોત થયા હતા. આ મામલે આશિષ મિશ્રા સહિત 14 લોકોની સામે હત્યા અને ગુનાહિત કાવતરાનો કેસ નોંધવામાં આવ્યો હતો.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments