Homeગામનાં ચોરેઆંબે આવ્યા મોર: ઊના સહિતના ગામડાઓમાં વાવાઝોડા બાદ બરબાદ થયેલી બાગ ફરી...

આંબે આવ્યા મોર: ઊના સહિતના ગામડાઓમાં વાવાઝોડા બાદ બરબાદ થયેલી બાગ ફરી લીલીછમ, ખેડૂતોની મહેનત રંગ લાવી

Team Chabuk-Gujarat Desk: ગીર સોમનાથ જિલ્લાનો ઊના તાલુકો અને તેની આસપાસના ગામડાઓ તૌકતે વાવાઝોડા બાદ ફરી એકવાર બેઠા થયા છે. વાવાઝોડાએ સર્જેલી તારાજી બાદ ઊનામાં ફરી એકવાર લીલોતરી જોવા મળી રહી છે. નાળિયેરી અને આંબાના પાકમાં ફરી ફાલ બંધાયો છે.

ઊના અને તેની આસપાસના ગામડાઓ તેમજ તાલાલા પંથકમાં કેસર કેરીના પાક માટે હાલ આંબાવાડીઓમાં મોરનું આવરણ બે તબક્કામાં થઈ ચૂક્યું છે. ફેબ્રુઆરીમાં આવેલા મોરમાં સારૂ બંધારણ થવાની ખેડૂતોમાં આશા છે. ખેડૂતોને આશા છે કે, જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ફૂટેલા મોર પર જ કેરીની સીઝનનો આધાર છે. જો આગામી દિવસોમાં વાતાવરણ સારૂ રહે તો જ ઉત્પાદનમાં ફાયદો થઈ શકે તેમ છે.

હાલ મોર ફૂટવાનો આખરી તબક્કો ચાલી રહ્યો છે. મહાશિવરાત્રી સુધી ઠંડી રહે તો પાછોતરી ફૂટ થઈ જશે. આંબાની બાગ રાખતા વેપારીઓ અને ખેડૂતોને આશા છે કે આ વખતે કોઈ મુશ્કેલી નહીં આવે અને કેરીના સારા પાકના કારણે તેમને ફાયદો થશે.

મે 2021 દીવ, ઊના સહિત સમગ્ર ગીર સોમનાથ જિલ્લા, ભાવનગર, અમરેલી અને જૂનાગઢ કેટલાક ગામડાના લોકોને ક્યારેય નહીં ભૂલાય. 150થી વધુ ગતિથી ફૂંકાયેલા પવનને આજે પણ લોકો યાદ કરીને ડરી રહ્યા છે અને ભવિષ્યમાં ક્યારેય આવી આફત ન આવે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.

વાવાઝોડા બાદ ખેતરોના ખેતરો બરબાદ થઈ ગયા હતા. જ્યાં જુઓ ત્યાં વૃક્ષોનો કાટમાળ પડ્યો હતો. મહિનાઓ સુધી લોકો વીજળીથી વંચિત રહ્યા હતા. ખેતરોમાં પડી ગયેલા વૃક્ષો સાફ કરતાં જ ખેડૂતોને મહિનાઓ લાગ્યા હતા. જો કે, ખેડૂતોની મહેનત હવે રંગ લાવી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments