Homeગામનાં ચોરેLTTE ચીફ ‘પ્રભાકરન જીવીત છે’, તમિલ નેતાએ LTTE ચીફ વિશે જાણો શું...

LTTE ચીફ ‘પ્રભાકરન જીવીત છે’, તમિલ નેતાએ LTTE ચીફ વિશે જાણો શું કર્યો ચોંકાવનારો દાવો

Team Chabuk-National Desk: એલટીટીઇના વડા પ્રભાકરનને લઈને એક ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. તમિલનાડુના તંજાવુરમાં એક નિવેદન જારી કરીને વર્લ્ડ કોન્ફેડરેશન ઓફ તમિલના પ્રમુખ પી નેદુમારને દાવો કર્યો છે કે પ્રભાકરન જીવીત છે. જણાવી દઈએ કે શ્રીલંકાની સેનાએ 2009માં એક સૈન્ય ઓપરેશન શરૂ કર્યું હતું જેમાં પ્રભાકરનને માર્યા ગયાનું કહેવામાં આવ્યું હતું. નેદુમારને કહ્યું, હું પુષ્ટિ કરી શકું છું કે તમિલ રાષ્ટ્રીય નેતા પ્રભાકરન જીવિત છે. તેણે એમ પણ કહ્યું કે તે પ્રભાકરનના પરિવારની સંમતિથી આ ખુલાસો કરી રહ્યો છે. નેદુમારને દાવો કર્યો હતો કે એલટીટીઇ ચીફ જીવિત અને સ્વસ્થ છે.

‘પ્રભાકરન માટે બહાર આવવાનો યોગ્ય સમય’

તંજાવુરમાં મુલ્લીવૈક્કલ મેમોરિયલ ખાતે મીડિયા સાથે વાત કરતા નેદુમારને કહ્યું કે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ અને શ્રીલંકામાં રાજપક્ષેના શાસન સામે સિંહાલી લોકોના બળવાખોરને જોતા પ્રભાકરન માટે બહાર આવવાનો આ યોગ્ય સમય છે. આ સાથે નેદુમારને ઈલમ તમિલો (શ્રીલંકન તમિલો) અને વિશ્વભરના તમિલોને પ્રભાકરનને સંપૂર્ણ સમર્થન આપવા માટે એકજૂટ રહેવા અપીલ કરી હતી. તેમણે તમિલનાડુ સરકાર, પક્ષો અને તમિલનાડુના લોકોને પ્રભાકરનની સાથે ઊભા રહેવાનું આહ્વાન કર્યું હતું.

LTTE નેતાનો સંમતિનો દાવો

એક પ્રશ્નના જવાબમાં નેદુમારને જણાવ્યું હતું કે તે પ્રભાકરનના પરિવારના સભ્યોના સંપર્કમાં છે, જેમણે તેની રિકવરી વિશે માહિતી આપી છે. તેણે એવો પણ દાવો કર્યો હતો કે તેને આ માહિતી જાહેર કરવા માટે LTTE નેતા પાસેથી સંમતિ મળી છે.

સાથીદારોએ ઓળખ કરી હતી

એક અખબારના અહેવાલ મુજબ, જ્યારે LTTE ચીફની ડેડબૉડી મળી ત્યારે શ્રીલંકાની સેનાએ તેના બે સહયોગીઓની મદદથી તેની ઓળખ કરી હતી. ત્યારબાદ ‘બોટમલાઈન’ અખબારે કહ્યું કે તેઓએ ઓળખી કાઢ્યું છે અને પુષ્ટિ કરી છે કે જે લાશ મળે છે તે પ્રભાકરણની છે. કેટલાક ડાઘ અને બર્થમાર્કે તેમને ઓળખવામાં મદદ કરી. ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની હત્યામાં LTTEનું નામ સામેલ હતું. એલટીટીઈના ટ્રેઝરર કે પથમનાથને એક ઈન્ટરવ્યુમાં રાજીવ ગાંધીની હત્યા માટે માફી પણ માંગી હતી.

પ્રભાકરનના મૃત્યુ પછી, LTTEનો પરાજય થયો. પ્રભાકરન રાજ્યના વડા અને ભૂતપૂર્વ વડા પ્રધાનની હત્યા, શ્રીલંકાના અન્ય રાષ્ટ્રપતિની હત્યાનો પ્રયાસ, સેંકડો રાજકીય હત્યાઓ, પચીસ આત્મઘાતી હુમલાઓ અને હજારો લોકો અને સૈનિકોના મૃત્યુ માટે જવાબદાર છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments