Homeગામનાં ચોરેબસ અને આઈશર વચ્ચે અકસ્માત, બસમાં આગ લાગતા 11 લોકો જીવતા જ...

બસ અને આઈશર વચ્ચે અકસ્માત, બસમાં આગ લાગતા 11 લોકો જીવતા જ ભૂંજાયા અન્ય મુસાફરો બાળકો સાથે બારીમાંથી કૂદી ગયા

Team Chabuk-National Desk: મહારાષ્ટ્રના નાસિકમાં વહેલી સવારે બસ અને આઈશર વચ્ચે અકસ્માત સર્જાયો. દુર્ઘટનામાં બસમાં આગ લાગી ગઈ અને 11 લોકો જીવતા જ ભૂંજાઈ ગયા. વહેલી સવાર હોવાથી મોટા ભાગના મુસાફરો સૂઈ ગયા હતા, જેથી તેમને બચવાની તક મળી ન હતી. મૃતકોમાં બસનો ડ્રાઈવર અને કેટલાંક બાળકો પણ સામેલ છે. જ્યારે 38 મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા જેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા.

નાસિક-ઔરંગાબાદ રૂટ પર નંદુરનાકા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ ચિંતામણિ ટ્રાવેલ્સની બસમાં 45-50 લોકો સવાર હતા. વહેલી સવારે પૂરપાટ ઝડપે આવતું ટેન્કર બસ સાથે અથડાયું હતું. જેના પગલે બસની ડિઝલની ટાંકી ફાટી જતાં આગ લાગી ગઈ હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતું. બીજી તરફ બસમાં મોટા ભાગના લોકો ઉંઘી રહ્યા હતા. તેઓ કંઈ પણ સમજે તે પહેલાં જ સમગ્ર બસમાં આગની જ્વાળાઓ પ્રસરી ગઈ હતી.

દુર્ઘટના બાદ રસ્તા પર બૂમાબૂમ થવા લાગી હતી. કેટલાક લોકો જીવ બચાવવા માટે બારી માથી કૂદી ગયા હતા. ત્યા સુધી કે પોતાના બાળકોને પણ બારીમાંથી બહાર ફેંકી દીધા હતા. માત્ર 20 જ મિનિટમાં સમગ્ર બસ બળીને રાખ થઈ ગઈ હતી.

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ મૃતકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયાની સહા અને ઈજાગ્રસ્તોને મફત સારવાર આપવાની જાહેરાત કરી હતી. એકનાથ શિંદેએ કહ્યું હતું કે, 3 લોકોને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતને ગંભીરતાથી લઈ તપાસ હાથ ધરવામાં આવશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments