Team Chabuk-National Desk: બે દિવસથી જેની ચર્ચા ચાલી રહી હતી તેવા નોઈડાના ટ્વિન ટાવરને આજે રવિવારે જમીનદોસ્ત કરી દેવામાં આવ્યો છે. નોઈડાના સેક્ટર 93 A માં 32 માળના સુપરટેક ટ્વિન ટાવરને આજે બપોર 2.30 વાગે તોડી પાડવામાં આવ્યું છે. સુપરટેક ટ્વિન ટાવર માત્ર 9 સેકન્ડમાં જમીનદોસ્ત થઈ ગયું હતું. આ ઇમારતને તોડવા માટે 3700 કિલો વિસ્ફોટક અલગ-અલગ ફ્લોર પર લગાવવામાં આવ્યો હતો. એકા ત્યારે આ ટાવરના જમીનદોસ્ત થતા જ ધૂળની ડમરી ઉડવા લાગી હતી.
noida twin tower demolition નોઈડામાં ટ્વિન ટાવરને તોડી પડાયો#TwinTowerDemolition pic.twitter.com/eamzqpnPxX
— thechabuk (@thechabuk) August 28, 2022
સેક્ટર 93 એમાં બનેલા 103 મીટર ઉંચા એપેક્સ અને 97 મીટર ઉંચા ટ્વિન ટાવરને જમીનદોસ્ત કરવા માટે 3700 કિલો વિસ્ફોટક વાપરવામાં આવ્યો હતો. 32 માળની ઇમારત તૂટવામાં માત્ર 9 સેકન્ડનો સમય લાગ્યો હતો. વિસ્ફોટ બાદ ધૂળની ડમરીઓ ઉડવા ઉડી હતી. આ ધૂળની ડમરીઓ 3 કિલોમીટરની ત્રિજ્યાની અંદર ફેલાઈ ગઈ હતી. સુરક્ષાની દ્રષ્ટીએ અમરાલ્ડ કોર્ટ અને આસપાસની સોસાયટીના ફેલ્ટ ખાલી કરાવાયા હા. આ ઉપરાંત લગભગ 3 હજાર વાહન અને 200 પશુઓને પણ બહાર કાઢવામાં આવ્યા હતા. એડફિસ એન્જિનિયરિંગના પ્રોજેક્ટ મેનેજર મયુર મહેતાએ જણાવ્યું કે પોલીસની મંજૂરી મળ્યા બાદ બપોરે અઢી વાગે ટ્રિગર દબાવવામાં આવ્યું હતુ.
આસપાસના વિસ્તારમાં ધૂળના વાદળો છવાયા છે. વિસ્ફોટના માત્ર 9 સેકન્ડ બાદ જ આખી ઈમારત માટીમાં ફેરવાઈ ગઈ હતી. પરંતુ કેટલાક કિલોમીટર સુધી ધૂળની ચાદર છવાઈ ગઈ છે. સ્થળ પર પાણીની ટાંકીઓમાંથી સતત છંટકાવ કરવામાં આવી રહ્યો છે. બ્લાસ્ટ બાદ ઉડેલી ધૂળને શાંત કરવા માટે વહીવટીતંત્ર દ્વારા સ્મોગ ગનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
