Homeગામનાં ચોરેનોર્વે: તીર અને બાણ લઈ ત્રાટકેલા માથાફરેલે પાંચ નિર્દોષ લોકોને વીંધી નાખ્યા

નોર્વે: તીર અને બાણ લઈ ત્રાટકેલા માથાફરેલે પાંચ નિર્દોષ લોકોને વીંધી નાખ્યા

Team Chabuk-International Desk: દક્ષિણપૂર્વી નોર્વેના કોંગ્સબર્ગ શહેરમાં એક વ્યક્તિએ બાણ અને તીરથી હુમલો કરી પાંચ લોકોની હત્યા નીપજાવી નાખી. આ હુમલામાં બે લોકો ઘાયલ પણ થઈ ચૂક્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર હુમલો કરનારની ધરપકડ કરી લેવામાં આવી છે. કોંગ્સબર્ગના ટાઉન સેન્ટરમાં કેટલીય જગ્યાઓએ થયેલા હુમલા પાછળનો ઉદ્દેશ્ય શું હતો તેના પરથી પડદો હટવાનો બાકી છે. પોલીસે આતંકી ઘટના હોવા પર નનૈયો ભણ્યો છે.

advertisement-1

પોલીસ અધિકારી ઓવિન્દ આસના જણાવ્યા અનુસાર લોકોના મોત થયા હોવાની પુષ્ટી કરી છે. તેમણે બે ઘાયલો વિશે જાણકારી આપતા કહ્યું કે, બંનેની સ્થિતિ અત્યંત ગંભીર હતી અને તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘાયલમાં એક પોલીસ અધિકારી પણ છે. જે ફરજ પૂર્ણ થયા બાદ જનરલ સ્ટોરમાંથી સામાન લઈ રહ્યો હતો. આ સમયે જ એક માથાફરેલ યુવક આવી પહોંચ્યો અને તેણે તીર-ધનુષ વડે પાંચ લોકોના જીવ લઈ લીધા હતા.

advertisement-1

કોંગ્સબર્ગના પોલીસ ચીફ ઓવિન્ડ આસે કહ્યું કે, હુમલો કરનાર ઘટનાસ્થળથી 25 કિલોમીટર દૂર ડ્રેમન વિસ્તારમાંથી ઝડપાયો છે. આ દરમ્યાન તેણે પોલીસ પર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસે ઘેરાબંધી કરી આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે સંદિગ્ધની ઓળખ કોંગ્સબર્ગના રહેવાસી ડેનિશના રૂપે કરી છે. હુમલો કરનારાઓ પર પહેલા કોઈ આરોપ નહોતો. અચાનકથી જ 12 ઓક્ટોબરની રાતને તેણે કયામતની રાત બનાવી દેતા તીર-ધનુષથી પાંચ નિર્દોષ લોકોને હણી નાખ્યા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments