Team Chabuk-Vishesh Desk: સંતરામાં ભરપૂર પ્રમાણમાં વિટામિન સી હોય છે. તેના સેવનથી શરીરમાં અનેક પ્રકારના લાભ થાય છે. સંતરા જેટલા ફાયદાકારક છે એટલી જ તેની છાલ પણ શરીરને ફાયદા આપે છે. સંતરાની છાલ ચહેરાની ગંદકી દૂર કરે છે અને ચહેરાને સુંદર બનાવવામાં પણ મદદ કરે છે. સંતરા ખાવામાં સ્વાદિષ્ટ હોવા ઉપરાંત સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
તેની છાલ ચહેરા પરથી ગંદકી દૂર કરે છે અને ત્વચાને ચમકદાર બનાવે છે.સંતરાની છાલનો પાઉડર બનાવી તેમાં દહીં, મધ અને ચણાનો લોટ ઉમેરી પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા પર 15 મિનિટ માટે લગાવો, પછી ધોઈ લો.
તમે સંતરાની છાલના પાવડરમાં દહીં અથવા મધ મિક્સ કરીને સ્ક્રબ બનાવી શકો છો. નારંગીની છાલ ડાઘ દૂર કરે છે અને કરચલીઓ ઘટાડવામાં મદદ કરે છે. ઓઇલી સ્કિન ધરાવતા લોકો માટે સંતરાની છાલ વરદાન માનવામાં આવે છે. પરંતુ ધ્યાનમાં રાખો કે કેટલાક લોકોને તેનાથી એલર્જી થઈ શકે છે, તેથી પેચ ટેસ્ટ કરો.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત