Homeગામનાં ચોરેકોરોના વેક્સિનેશન મામલે ભારતની નવી ઉપલબ્ધિ, મનસુખ માંડવિયાએ દેશવાસીઓને આપ્યા અભિનંદન

કોરોના વેક્સિનેશન મામલે ભારતની નવી ઉપલબ્ધિ, મનસુખ માંડવિયાએ દેશવાસીઓને આપ્યા અભિનંદન

Team Chabuk-Gujarat Desk: ભારતમાં ધીમા પગલે ખતરનાક ગણાતા ઓમિક્રોનની એન્ટ્રી થઈ ગઈ છે ત્યારે ભારતમાં રસીકરણને લઈને સારા સમાચાર આવ્યા છે. રવિવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જાણકારી આપી કે, ભારતમાં 50 ટકા લોકોએ કોરોના વેક્સિનના બન્ને ડોઝ લઈ લીધા છે. તેમણે કહ્યું કે, આ આપણા સૌના માટે ગર્વની વાત છે. આ સાથે જ ભારતમાં કુલ કોરોના વેક્સિનેશનની સંખ્યા 1,27,61,83,065 પર પહોંચી ગઈ છે.

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે, ભારતમાં 84.4 ટકા મોટી ઉંમરના લોકો ઓછામાં ઓછો એક ડોઝ લઈ ચુક્યા છે. છેલ્લા 24 કલાકમાં 1,04,18,707 લોકોને રસી આપવામાં આવી છે. જેથી કુલ કોરોના રસીના ડોઝની સંખ્યા 127.61 કરોડ પર પહોંચી ગઈ છે.

દેશમાં એક તરફ ખૂબ ઝડપથી વેક્સિનેશન ચાલી રહ્યું છે ત્યારે દેશમાં ઓમિક્રોન નામના નવા વેરિયન્ટે પણ દહેશત ફેલાવી છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 8895 કેસ સામે આવ્યા છે. જ્યારે 2796 મોત થયા છે. બિહાર સરકારે મોતના આંકડામાં સુધારો કરતાં મૃતકોની સંખ્યા વધી છે. બિહાર સરકારે આખરે માની લીધું છે કે 2424 લોકોના મોત કોરોનાના કારણે થયા હતા. જેથી આ આંકડાને પણ છેલ્લા 24 કલાકમાં દેશભરમાં થયેલા કોરોનાથી મોતના આંકડામાં ઉમેરવામાં આવ્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments