Homeગામનાં ચોરેપોલીસ લખબીર હત્યાકાંડમાં હજુ ત્રણ નિહંગોને શોધી રહી છે

પોલીસ લખબીર હત્યાકાંડમાં હજુ ત્રણ નિહંગોને શોધી રહી છે

Team Chabuk-National Desk: હરિયાણાના સોનીપત જિલ્લામાં સિંધુ બોર્ડર પર ગત અઠવાડિયે પંજાબના યુવક લખબીરની જઘન્ય હત્યા કરી નાખી હતી. આ નૃશંસ હત્યામાં પોલીસને હજુ ત્રણ આરોપીની તલાશ છે. આ ત્રણેના નામ સરેન્ડર કરી ચૂકેલા ત્રણે નિહંગોએ પૂછપરછ દરમ્યાન જણાવ્યા હતા. પોલીસની ટીમ મંગળવારના રોજ આ ત્રણે આરોપીઓની શોધખોળ કરવા માટે સિંધુ બોર્ડર પર પહોંચી હતી, પણ તે હાથ નહોતા આવ્યા.

પોલીસે આત્મસમર્પણ કરનારા નિહંગ ભગવત સિંહ અને ગોવિંદપ્રીતના કેટલાક અન્ય કપડાં પણ ડેરામાંથી કબ્જામાં લીધા છે. મંગળવારના રોજ સોનીપત પોલીસે ચારેય આરોપીઓને સાથે લઈ કેટલાક સ્થળો પર નિશાનની પ્રક્રિયા પણ પૂર્ણ કરાવી હતી.

સિંધુ બોર્ડર પર 15 ઓક્ટોબરના રોજ દશેરાની સવારે લખબીર સિંહની હત્યામાં ચાર નિહંગોએ આત્મસમર્પણ કર્યું છે. જેમાં નિહંગ નારાયણસિંહ, સરબજીતસિંહ, ભગવતસિંહ અને ગોવિંદપ્રીતે પોલીસની સામે સરેન્ડર કર્યું હતું. વારદાતની કડીઓને જોડવા માટે પોલીસ આ ચારેને રિમાન્ડ પર લઈ પૂછતાછ કરી રહી છે. ચારે નિહંગોએ જણાવ્યું હતું કે, તેમની સાથે અન્ય ત્રણ લોકો પણ હતા.

આ ત્રણ પણ નિહંગો જ છે અને ત્રણે સિંધુ બોર્ડર પર જ ડેરામાં રહે છે. નિહંગોએ આ ત્રણેના નામ પણ પોલીસ ઓફિસરોને બતાવ્યા હતા. પણ તેમનો ખુલાસો કરવામાં આવ્યો નથી. મંગળવારના રોજ આ ત્રણેની ધરપકડ કરવા માટે કુંડલી પોલીસ સ્ટેશનની એક ટૂકડી સિંધુ બોર્ડર પર નિહંગોના ડેરામાં પહોંચી હતી, પણ ત્રણે ત્યાં મળ્યા નહોતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments