Team Chabuk-Political Desk: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. લોકસભા સચિવાલયે રાહુલ ગાંધીની સંસદની સદસ્યતાને રદ કરી દીધી છે. નોંધનીય છે કે, સુરત કોર્ટે ગઈકાલે ગુરુવારે રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં દોષિત ઠેરવ્યા હતા અને તેમને 2 વર્ષની સજા ફટકારી હતી. રાહુલ ગાંધી કેરળના વાયનાડથી સાંસદ હતા. શુક્રવારે સંસદના બજેટસત્રના બીજા તબક્કાનો નવમો દિવસ છે. મોદી સરનેમ પર રાહુલ ગાંધીના નિવેદન બદલ ભાજપે સંસદમાં તેમની માફીની માગ કરી હતી. ભાજપનું કહેવું છે કે રાહુલનું સંસદ સભ્યપદ રદ કરવું જોઈએ. આ મુદ્દે સંસદમાં બંને ગૃહમાં ભારે હોબાળો થયા હતો. આ તરફ કોંગ્રેસ કાર્યાલય બહાર રાહુલની સજાનો વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું.
कांग्रेस पार्टी के राहुल गांधी को उनकी मोदी सरनेम टिप्पणी पर आपराधिक मानहानि मामले में दोषी ठहराए जाने की तारीख से लोकसभा के सदस्य के रूप में अयोग्य घोषित कर दिया गया है। pic.twitter.com/Sz5PZ24ZWd
— ANI_HindiNews (@AHindinews) March 24, 2023
આ અંગે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, રાહુલ ગાંધી સાચુ બોલી રહ્યા છે. તેમણે સંસદમાં અદાણીનો મુદ્દો ઉઠાવ્યો. શું તે ખોટું છે ? આજે રાહુલ ગાંધીને બોલવા દેવામાં નથી આવી રહ્યા. તેનો અર્થ છે કે લોકતંત્ર ખતમ કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે. આવું જ ચાલતું રહેશે તો એક દિવસ દેશમાં તાનાશાહી આવી જશે.
राहुल गांधी सच बोल रहे हैं, उन्होंने संसद में अडानी से संबंधित मुद्दा रखा। क्या ये ग़लत है? आज राहुल गांधी को बोलने नहीं दिया जा रहा। इसका मतलब क्या है?…लोकतंत्र को ख़त्म करने का काम किया जा रहा है। ऐसे ही चलता रहा तो इस देश में एक दिन तानाशाही आ जाएगी: कांग्रेस के राष्ट्रीय… pic.twitter.com/dQg1ZQMC58
— ANI_HindiNews (@AHindinews) March 24, 2023

આ અંગે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, છેલ્લા 15-20 વર્ષમાં કોંગ્રેસે સતત ઓબીસીની છબી ખરાબ કરવાની કોશિશ કરી છે. રાહુલ ગાંધી દ્વારા મોદી સરનેમને લઈને કરવામાં આવેલી ટિપ્પણી ઓબીસીની છબી ખરાબ કરવાની કોશિશ છે અને ઓબીસીનું અપમાન છે.
पिछले 15-20 साल में कांग्रेस ने लगातार OBC की छवि खराब करने की कोशिश की है। राहुल गांधी द्वारा मोदी सरनेम को लेकर की गई टिप्पणी OBC की छवि खराब करने की कोशिश है और OBC का अपमान है: केंद्रीय मंत्री अनुराग ठाकुर, दिल्ली pic.twitter.com/AILTckhHM4
— ANI_HindiNews (@AHindinews) March 24, 2023
સંસદમાં કોંગ્રેસ સંસદીય કાર્યાલયમાં પાર્ટી સાંસદોની બેઠકમાં રાહુલ ગાંધી હાજર રહ્યા હતા. પાર્ટી અધ્યક્ષ અને રાજ્યસભામાં પાર્ટીના નેતા મલ્લિકાર્જુન ખડગે અને સોનિયા ગાંધી પણ બેઠકમાં હાજર હતા.
મોદી સરનેમને લઈને રાહુલ ગાંધીએ કરેલા નિવેદન સામે થયેલા માનહાનિ કેસમાં સુરતની સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીને દોષિત જાહેર કરીને બે વર્ષની સજા સંભળાવી છે. આ ચુકાદા સામે કોંગ્રેસે ભાજપ પર આક્ષેપ કર્યો છે કે રાહુલ ગાંધીને માત્ર પરેશાન કરવામાં આવી રહ્યા છે. આના વિરોધમાં કોંગ્રેસ અને વિપક્ષોએ એક થઈને દેશભરમાં મોદી સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરવાનું નક્કી કર્યું છે. આ માટે આજે વિપક્ષો સ્ટ્રેટેજી ઘડશે. એ પહેલાં કૂચ કરશે અને પાર્લમેન્ટમાં મિટિંગ કરશે. કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને ગુરુવારે રાત્રે મિટિંગ મળી હતી, જેમાં 50 સાંસદ, કોંગ્રેસ સ્ટેરિંગ કમિટીના સભ્યો, દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
