Team Chabuk-National Desk: રાજસ્થાનના બાડમેરમાં બાડમેર-જોધપુર હાઈવે પર બુધવારે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં એક ખાનગી બસ અને ટ્રકની ધડાકાભેર ટક્કર થઈ હતી. ટક્કરના પરિણામે ટ્રક અને બસ આગની ઝપેટમાં આવી ગયાં હતાં. જેમાં 11 લોકો જીવતા ભડથું થઈ ગયા હતા. દુર્ઘટનામાં અન્ય 22 લોકો ઈજાગ્રસ્ત થયા છે. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
— Kanhaiya Lal Bhadu (@KanhaiyaBhadu) November 10, 2021
જિલ્લા પોલીસ અધીક્ષક દીપક ભાર્ગવના જણાવ્યા અનુસાર આ દુર્ઘટના બાંદિયાવસની પાસે બસ અને ટ્રકની ટક્કરમાં થઈ હતી. ટક્કર બાદ બસ અને ટ્રક આગની લપેટમાં આવી ગયા હતા. જેના કારણે અગિયાર યાત્રિકોના મોત થઈ ગયા હતા અને અન્ય 22 ઘાયલ થઈ ગયા હતા. તેમણે જણાવ્યું કે, દસ મૃતદેહ ઘટનાસ્થળ પર જ મળી આવ્યા હતા. જ્યારે એક ઘાયલની હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ થઈ છે. ગંભીરરૂપથી ઘાયલ લોકોને જયપુર ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી પ્રમાણે જ્યારે દુર્ઘટના સર્જાય ત્યારે બસમાં કુલ 25 લોકો સવાર હતા. ટક્કર થતા બસમાં આગ લાગી ગઈ હતી. જેથી લોકો તેમાં ફસાઈ ગયા હતા. કેટલાક લોકો મહામુસીબતે બસની બારી તોડી બહાર નીકળ્યા હતા. દુર્ઘટનાના સમાચાર મળતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને દસ લોકોને બહાર કાઢ્યા હતા. દુર્ઘટનાના કારણે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. જેને લઈ મોટી સંખ્યામાં પોલીસની ટૂકડી ફરજ પર ઉભી રાખવી પડી હતી.
ਬੱਸ ‘ਚ ਲੱਗੀ ਭਿਆਨਕ ਅੱਗ ਦੋ ਦਰਜਨਾਂ ਲੋਕ ਸਨ ਸਵਾਰ, ਪੜ੍ਹੋ ਪੂਰੀ ਰਿਪੋਰਟ https://t.co/I4EQKgbdlk #badmer #rajsthan #fire pic.twitter.com/TxwRHGR3vA
— Voice of Punjab (@voiceofpunjabtv) November 10, 2021
બસમાં સવાર એક યાત્રીએ જણાવ્યું હતું કે, બસ બાલોતરાથી આશરે 10 વાગ્યે રવાના થઈ હતી. હાઈવે પર વિરૂદ્ધ દિશામાંથી આવી રહેલા ટ્રકે બસને ટક્કર મારી દીધી હતી. જેના કારણે આગ લાગી ગઈ અને બસ રાખ થઈ ગઈ. ઘટનાની માહિતી મળતા પ્રધાનમંત્રીએ મૃતકોના પરિવારજનોને બે બે લાખ રૂપિયાની સહાય આપવાનું એલાન કર્યું છે. આ સિવાય ઘાયલોને 50-50 હજાર રૂપિયા આપવામાં આવશે.
बाड़मेर में हुई बस-ट्रक दुर्घटना के संबंध में जिला कलेक्टर, बाड़मेर से फोन पर वार्ता कर राहत-बचाव कार्यों के संबंध में निर्देशित किया है। घायलों का बेहतर से बेहतर इलाज सुनिश्चित किया जाएगा।
— Ashok Gehlot (@ashokgehlot51) November 10, 2021
મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા ટ્વીટ કર્યું હતું. તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે, બાડમેરમાં થયેલી બસ-ટ્રકની દુર્ઘટનાના સંબંધમાં બાડમેરના જિલ્લા અધિકારી સાથે ફોન પર ચર્ચા કરી તેમને રાહત અ બચાવ કાર્યના સંબંધમાં આદેશ આપ્યા છે. ઘાયલોને સારામાં સારો ઈલાજ પૂર્ણ પાડવામાં આવશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત