Team Chabuk-National Desk: કર્ણાટકના સ્વાસ્થ્ય મંત્રી બાદ હવે રાજસ્થાનના શિક્ષા મંત્રી ગોવિંદસિંહ ડોટાસરાના નિવેદને હેડલાઈન બનાવી છે. આંતરાષ્ટ્રીય બાલિકા દિવસ પર તેમણે કહ્યું હતું કે, મહિલાઓ ઝઘડાખોર હોય છે. તેમનું ઝઘડાખોર હોવું એ જ તેમને પુરુષોની આગળ નીકળવાથી અટકાવે છે. મારી પાસે આવી અસંખ્ય રિપોર્ટ આવે છે. જ્યાં મહિલાઓ શાળામાં ઝઘડો કરે છે. જો આ નાની નાની વાતોમાં સુધારો કરી લે, તો પુરુષોથી આગળ નીકળી જશે.
#WATCH | Govt introduced policy for women. They're given priority.But female staff have conflicts among themselves. Where there's female staff, either Principal or teachers take 'Saridon'. If they overcome this, they'll be ahead of men: Rajasthan Education Min GS Dotasara (11.10) pic.twitter.com/CqQnkk1Nvz
— ANI (@ANI) October 13, 2021
શિક્ષામંત્રીએ મહિલા શિક્ષિકાઓ પર કટાક્ષ કરતા કહ્યું કે, મહિલાઓના ઝઘડાના કારણે પુરુષોનો સ્ટાફ ચિંતિત રહે છે. પુરુષો અને આચાર્યએ સેરીડોન ટેબલેટ ખાવી પડે છે. સરકાર મહિલાઓ માટે યોજના લાવી છે. મહિલાઓ સરકારની પ્રાથમિકતામાં છે. એ આ બધાથી ઉપર ઉઠીને પુરુષોથી આગળ નીકળે.

બીજી બાજુ કર્ણાટકના સ્વાસ્થ્ય મંત્રી ડૉ. કે સુધાકરનનું નિવેદન પણ ચર્ચામાં છે. જેમાં તેમણે કહ્યું હતું કે, આધુનિક ભારતીય મહિલાઓ બાળકોને જન્મ આપવા નથી માગતી. એ કાં તો કુંવારી રહેવા ઈચ્છુંક છે અથવા તો લગ્ન બાદ બાળકો નથી ઈચ્છતી. તેઓ સરોગસીથી બાળકો ઈચ્છે છે. આપણી વિચારધારામાં આ પરિવર્તન યોગ્ય નથી. આ નિવેદન ડો.કે સુધાકરે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ પર આપ્યું હતું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત