Team Chabuk-Gujarat Desk: બોલિવુડ કપલ રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટ (alia bhatt) આજે લગ્નગ્રંથીથી (marriage) જોડાઈ જશે. છેલ્લા ઘણા દિવસથી રણબીર અને આલિયાના લગ્નની તારીખને લઈને અટકળો ચાલી રહી હતી. ફેન્સ પણ રાહ જોઈ રહ્યા હતા કે બન્નેના લગ્નની તારીખ ક્યારે જાહેર કરાશે. પરંતુ રણબીર કપુરની માતા નીતૂ કપૂરે લગ્નની ઓફિશિયલ તારીખ જાહેર કરી દીધી છે. નીતૂ કપૂરે કહ્યું છે કે, લગ્ન ગુરુવારે એટલે કે આજે 14 એપ્રિલના રોજ જ થશે. નીતૂ કપૂરનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.
સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાણીએ એક વીડિયો શેર કર્યો છે. જેમાં નીતૂ કપૂર અને તેમની પુત્રે ઋદ્ધિમા કપૂર સાહની એકસાથે જોવા મળી રહ્યા છે. બંનેને પૈપરાજીએ ઘેરી લીધા અને રણબીર-આલિયાના લગ્ન વિશે વાત કરી. આ દરમિયાન પૈપરાજીએ પૂછ્યું કે હવે તો કહી દો લગ્ન ક્યારે છે. ત્યારે નીતૂ કપૂરે જણાવ્યું કે આવતીકાલે એટલે ગુરૂવારે રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન છે.
આ વીડિયો જ્યારે પૈપરાજીએ માતા અને પુત્રીને પૂછ્યું કે આલિયા તેમને કેવી લાગે છે? ત્યારે રણબીરની બહેને કહ્યું કે આલિયા ડોલ જેવી ક્યૂટ છે. તો બીજી તરફ નીતૂ કપૂરે આ પ્રશ્નના જવાબમાં કહ્યું કે વહૂ વિશે શું કહુ? તેમણે પોતાની આંખો અને હાથ વડે હાવભાવ આપીને પોતે આ લગ્નથી ખૂબ ખુશ છે તેમ દર્શાવ્યું હતું.
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે કપૂર પરિવાર પરંપરા પ્રમાણે, રણબીરની જાન કાઢશે. તેઓ ક્રિશ્ના રાજ બંગલોથી વાસ્તુ અપાર્ટમેન્ટ સુધી જાન કાઢશે. આ બંને લોકેશન પાલી હિલમાં જ આવેલા છે. બંને વચ્ચે માત્ર 15-20 મિનિટનું અંતર છે. ક્રિશ્ના રાજ બંગલોથી વાસ્તુ અપાર્ટમેન્ટના રસ્તાને લાઇટિંગથી ડેકોરેટ કરવામાં આવ્યો છે. રસ્તામાં આવતા તમામ વૃક્ષો પર લાઇટિંગ કરવામાં આવી છે.

13 એપ્રિલના રોજ રણબીર-આલિયાની મહેંદી સેરેમની યોજાઈ હતી. આજે એટલે કે 14 એપ્રિલના રોજ કપૂર પરિવાર સૌ પહેલાં પિતૃ પૂજા કરશે. ત્યારબાદ હલ્દી સેરેમની કરશે. પછી આલિયાની ચૂડા સેરેમની યોજાશે. આટલું જ નહીં કપૂર પરિવાર પરંપરા પ્રમાણે, રણબીર કપૂરની જાન પણ કાઢશે. ઉલ્લેખનીય છે કે આજે પંજાબીઓનું નવું વર્ષ પણ છે. આજે વૈશાખી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત