Team Chabuk-National Desk: વધતી મોંઘવારી વચ્ચે દેશની જનતા માટે વધુ એક માઠા સમાચાર આવ્યા છે. ભારતીય રિઝર્વ બેંક એટલે કે RBI એ લાંબા સમય બાદ એકાએક જ રેપો રેટમાં (repo rate) વધારો (increase) કર્યો છે. ભારતીય રિઝર્વ બેંકે રેપો રેટમાં એક ઝાટકે જ 0.40 ટકાનો વધારો કર્યો છે. જેના કારણે હવે રેપો રેટ 4.40 ટકા થઈ ગયો છે. રેપો રેટ વધતાં જ સસ્તી લોનનું સપનું જોતાં લોકોની આશા પર પાણી ફરી વળ્યું છે. રિઝર્વ બેંકની આ જાહેરાતથી લોકો પર ઈએમઆઈનું ભારણ આવનારા સમયમાં વધશે.
मौद्रिक नीति समिति (MPC) ने तत्काल प्रभाव से रेपो रेट में 40 बेसिस प्वाइंट्स की वृद्धि के लिए सर्वसम्मति से मतदान किया है: RBI गवर्नर शक्तिकांत दास pic.twitter.com/GTxoK2Wuyi
— ANI_HindiNews (@AHindinews) May 4, 2022
રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે આજ રોજ પ્રેસ કોન્ફરન્સ કરીને રેપો રેટમાં વધારાની જાણકારી આપી હતી. શક્તિકાંત દાસે કહ્યું કે, રેપો રેટને 0.40 ટકા વધારવાનો નિર્ણય લેવાયો છે. શક્તિકાંત દાસે કહ્યું કે, સેન્ટ્રલ બેંકની મૌદ્રિક નીતિ સમિતિએ આર્થિક સ્થિતિ પર ચર્ચા માટે બેઠક કરી હતી. આ બેઠકમાં એમપીસીના સભ્યોએ એકમત સાથે રેપો રેટને 0.40 ટકા વધારવાનો નિર્ણય લીધો હતો. બેકાબૂ થઈ રહેલી મોંઘવારીના કારણે એમપીસીએ નિર્ણય લીધો છે.
રિઝર્વ બેંક દ્વારા રેપો રેટમાં વધારો કરાતાં જ શેરબજારમાં કડાકો થયો છે. સેન્સેક્સમાં 1500 પોઈન્ટ અને નિફ્ટીમાં 436 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે. રેપો રેટમાં થયેલા વધારાની સીધી અસર શેર માર્કેટ પર પડી રહી છે.

શું થશે અસર ?
રેપો રેટમાં વધારાની સાથે લોન પરના ઇએમઆઇ વધી જશે. કારણ કે બેંકોનો લોન ખર્ચ વધી જશે. રેપો રેટ દર તે દર હોય છે કે જે બેંક રિઝર્વ બેંકમાંથી ધન ઉઠાવે છે. તેના વધવાની સાથે જ બેંકોનો લોન ખર્ચ વધી જશે અને તે ગ્રાહકો પર પડશે. તેનાથી આગામી સમયમાં હોમ લોન, ઓટો લોન અથવા પર્સનલ લોન તમામ મોંઘી બની જશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત