HomeસિનેમાવાદTMKOC: દિશા વાકાણીને કેન્સર હોવાની અફવા, ‘જેઠાલાલે’ ઉજાગર કર્યું સત્ય...

TMKOC: દિશા વાકાણીને કેન્સર હોવાની અફવા, ‘જેઠાલાલે’ ઉજાગર કર્યું સત્ય…

Team Chabuk-Entertainment Desk: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દયાબેન એટલે કે દિશા વાકાણીને ગળાનું કેન્સર હોવાના સવારથી સોશિયલ મીડિયા પર સમાચાર આવી રહ્યા છે. આ સમાચાર આવતા જ દયાબેનના પાત્રને ચાહનારા લોકો ચોંકી ગયા હતા. પરંતુ  આ સમાચારમાં કોઈ સત્યતા નથી. આ વાતની પુષ્ટિ ખુદ તારક મહેતા શોના જેઠા લાલનું પાત્ર ભજવનારા દિલીપ જોશીએ કરી છે.

સોશિયલ મીડિયામાં કોઈ સારી વાત પહોંચાડવી હોય તો ઘણીવાર લાગે છે. પરંતુ અફવા અને નેગેટીવ વાતને ખુબ ઝડપથી ફોરવર્ડ કરાય છે. કોઈપણ તથ્ય જાણ્યા વગર પોસ્ટને શેર કરવામાં આવે છે. આજે સવારથી સોશિયલ મીડિયા સહિત અનેક ન્યુઝ વેબસાઈટમાં આ સમાચાર રોકેટની ગતી ફેલાયા છે કે દિશા વાકાણી એટલે કે તારક મહેતા શોની દયાબેનને ગળાનું કેન્સર થયું છે. અને એ પણ શો માં અલગ અલગ અવાજ કાઢવાના લીધે. પ્રથમ તો આ વાત બધા માની જ લેશે. કારણ કે દયાબેનનો અવાજ લોકોને ખુબ જ પ્રીય હતો. પરંતુ થોડુ વિચારો તો આવા ગફલત સમાચારમાં કંઈ પણ તથ્ય ન હોય તેવું ચોક્કસ દેખાશે, કારણ કે 2017 થી એટલે કે પાંચ વર્ષથી દયાબેન તારક મહેતા શોનો કે અન્ય પ્લેટફોર્મનો હિસ્સો રહ્યા નથી. જેથી અલગ અવાજ  કાઢવાની વાત જ આવતી નથી. 

દિલીપ જોષીને આ અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે તેમને સવારથી સતત ફોન આવે છે. દર વખતે કંઈક ને કંઈક ન્યૂઝ આવતા રહે છે. તેમને લાગે છે કે આ રીતના ન્યૂઝને પ્રોત્સાહન આપવાની જરૂર નથી. તેઓ બસ એટલું જ કહેશે કે આ બધી અફવા છે અને એના પર ધ્યાન ના આપશો.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments