Team Chabuk-Gujarat Desk: જાણિતા બોલિવૂડ પ્લેબેક સિંગર કેકે (કૃષ્ણ કુમાર કુન્નથ)નું 31મેના રોજ રાત્રે અવસાન થયું હતું. કોલકાતામાં લાઈવ કોન્સર્ટમાં પર્ફોર્મ દરમિયાન જ કેકેની તબિયત બગડી હતી અને તેઓને તુરંત જ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતાં પરંતુ ડોક્ટરોએ તેઓને મૃત જાહેર કર્યા હતા. ગઈકાલે કોલકાતામાં જ કેકેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને ગન સેલ્યૂટ સાથે વિદાય આપવામાં આવી હતી. ત્યારે આજે બપોરે કેકેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.
તેમના પાર્થિવદેહને AI 773 ફ્લાઇટમાં મુંબઈ લાવ્યો હતો. કેકેનો પાર્થિવદેહ પાર્ક પ્લાઝામાં અંતિમ દર્શનાર્થે મૂકવામાં આવ્યો હતો. સંગીત જગત અને ફિલ્મી જગતની અનેક જાણીતી હસ્તીઓએ કેકેના પાર્થિવદેહના અંતિમ દર્શન કર્યા હતા અને ભીની આંખે વિદાય આપી હતી. બપોરે એક વાગે ઘરેથી અંતિમ યાત્રા નીકળી હતી. વર્સોવાના હિંદુ સ્મશાન ઘાટમાં અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. દીકરા નકુલે મુખાગ્નિ આપ્યો હતો.
પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ પ્રમાણે, કેકેનું મોત માસિવ કાર્ડિયેક અરેસ્ટને કારણે થયું છે. ઓટોપ્સી રિપોર્ટ પ્રમાણે, કેકેને લાંબા સમયથી હૃદય સંબંધિત બીમારી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
