Team Chabuk-National Desk: દિલ્લીના કાલકાજી મંદિરમાં એક ધાર્મિક કાર્યક્રમમાં સ્ટેટ ટૂટતા એક મહિલાનું મોત થયું છે જ્યારે 17 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે.. ગાયક બી પ્રાક કાલકાજીનો ભજનનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે જ આ દુર્ઘટના સર્જાઈ હતી.
દિલ્હીના કાલકાજી મંદિરમાં જાગરણ દરમિયાન સ્ટેજ તૂટી પડ્યું હતું. સ્ટેજ ધરાશાયી થવાને કારણે 17 લોકો ઘાયલ થયા છે તો એક મહિલાનું મોત થયું. તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે આયોજકો સામે ગુનો નોંધ્યો છે.
મળતી માહિતી મુજબ, સિંગર બી પ્રાક આ જાગરણમાં આવ્યા હતા, તેમને સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. દરમિયાન જ્યારે બી પ્રાકે સ્ટેજ પર પોતાનું પર્ફોર્મન્સ શરૂ કર્યું ત્યારે સ્ટેજ તૂટી પડ્યું.
પોલીસના જણાવ્યા અનુસાર, 27-28 જાન્યુઆરીની મધ્યરાત્રિએ કાલકાજી મંદિરના મહંત કોમ્પ્લેક્સમાં માતા જાગરણ દરમિયાન લાકડા અને લોખંડની ફ્રેમથી બનેલું પ્લેટફોર્મ તૂટી પડતાં 17 લોકો ઘાયલ થયા હતા અને એકનું મોત થયું હતું. કાર્યક્રમના આયોજન માટે કોઈ પરવાનગી આપવામાં આવી ન હતી. જો કે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પૂરતા પ્રમાણમાં જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા. ત્યાં લગભગ 1500-1600 લોકોનો મેળાવડો હતો. ક્રાઈમ ટીમે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. અન્ય તમામ ઘાયલોની હાલત સ્થિર છે, જ્યારે કેટલાકને ફ્રેક્ચર થયું છે. આ મામલે આયોજકો સામે IPCની કલમ 337/304A/188 હેઠળ કેસ નોંધાયો છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત