Team Chabuk-Political Desk: મોદી સરનેમને લઈને થયેલા માનહાનિ કેસમાં આજે રાહુલ ગાંધી ફરી એક વખત સુરત આવ્યા હતા. માનહાનિ કેસમાં બે વર્ષની સજા મળ્યા બાદ આજે રાહુલ ગાંધી સુરત કોર્ટમાં અપીલ દાખલ કરવા હાજર રહ્યા હતા. રાહુલ ગાંધીના વકીલ કિરીટ પાનવાલાએ કોર્ટમાં અપીલ કરી છે. જેનો નંબર 254/2023 કોર્ટ દ્વારા રજિસ્ટર કરવામાં આવ્યો છે. માનહાની કેસમાં રાહુલ ગાંધીને 13 એપ્રિલ સુધી જામીન મળ્યા છે. ત્યારે સજા પર સ્ટે મામલે 3 મેના રોજ સુનાવણી થશે. રાહુલ ગાંધી સાથે પ્રિયંકા ગાંધી પર સુરત આવ્યા હતા. રાહુલ ગાંધીના આગમનને લઈને મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકરો કોર્ટની બહાર એકઠાં થયા હતા અને રાહુલ ગાંધીના સમર્થનમાં નારા લગાવ્યા હતા.
રાહુલ અને પ્રિયંકાની સાથે ત્રણ રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ સુરત આવી પહોંચ્યા હતા. જેમાં છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ સુરત આવ્યા હતા. આ સિવાય પાર્ટીના અનેક દિગ્ગજ નેતાઓ રાહુલના સમર્થનમાં સુરત પહોંચ્યા હતા.
આ પહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા ગયા શુક્રવારે એટલે કે 24 માર્ચે રદ કરવામાં આવી હતી. લોકસભા સચિવાલય દ્વારા આ સંદર્ભે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. મોદી અટક સંબંધિત માનહાનિના કેસમાં ગુરુવારે સુરતની કોર્ટે રાહુલને બે વર્ષની જેલની સજા સંભળાવી હતી.
મહત્વનું છે કે, 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન કર્ણાટકના કોલારમાં એક રેલી દરમિયાનમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, બધા ચોરની અટક મોદી જ કેમ હોય છે? રાહુલ ગાંધીએ 2019ની લોકસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ‘ચોકીદાર જ ચોર છે’નો નારો આપ્યો હતો. જેને લઈને ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે રાહુલે પોતાની ટિપ્પણીથી સમગ્ર મોદી સમુદાયને બદનામ કર્યો છે. રાહુલ વિરુદ્ધ માનહાનિ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
