HomeસિનેમાવાદTunisha Sharma case: તુનિષા સુસાઇડ કેસના આરોપી શીઝાન ખાનને લઈ આવ્યા મોટા...

Tunisha Sharma case: તુનિષા સુસાઇડ કેસના આરોપી શીઝાન ખાનને લઈ આવ્યા મોટા સમાચાર, જાણો

Team Chabuk-Entertainment Desk: એક્ટ્રેસ તુનિષા શર્મા કેસમાં કો-સ્ટાર શીઝાન ખાનને 69 દિવસ બાદ જામીન મળી ગયા છે. મહારાષ્ટ્રની વસઈ કોર્ટે શનિવારે 28 વર્ષીય અભિનેતાને જામીન આપ્યા છે. આ કેસમાં શીઝાનની 26 ડિસેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી. એડિશનલ સેશન્સ કોર્ટના જજ આરડી દેશપાંડેએ ખાનને જામીન આપતાં એક લાખ રૂપિયાની સિક્યોરિટી ડિપોઝીટ કરવાનો આદેશ આપ્યો છે. શીઝાન ખાનના વકીલ શરદ રાયે જણાવ્યું કે અભિનેતાને અનેક કારણોસર જામીન આપવામાં આવ્યા છે. આ કેસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે અને તપાસ પણ પૂર્ણ થઈ ગઈ છે.

વકીલ શૈલેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે શીઝાનના જામીનમાં એક દિવસનો વિલંબ થયો હતો, કારણ કે અમે સાંજે 6.30 કે 7 વાગ્યા સુધીમાં પહોંચી જવાના હતા પરંતુ અમે પહોંચી શક્યા ન હતા. આવી સ્થિતિમાં શીઝાનને એક દિવસ પછી જેલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ઉપરાંત, અમારે લગભગ 5.30 વાગ્યા સુધીમાં થાણે જેલના બેલ બોક્સમાં કાગળો મૂકવાના છે પરંતુ અમારામાંથી કોઈ સમયસર પહોંચી શક્યું નહીં. હવે શીઝાન આવતીકાલે એટલે કે રવિવારે જેલમાંથી બહાર આવશે. વસઈ કોર્ટમાં જે ઔપચારિકતા હતી તે પૂરી થઈ ગઈ છે, જેમાં સમય લાગ્યો હતો.

ઉલ્લેખનીય છે કે 24 ડિસેમ્બર 2022ના રોજ અભિનેત્રી તુનીષા શર્માએ વેનિટી વેનમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. ઘટના બની ત્યારે તુનિષા ટીવી સેટ પર શૂટિંગ કરી રહી હતી. આ કેસમાં 28 વર્ષીય શીઝાન ખાનની ધરપકડ કરવામાં આવી હતી. તુનીશાની માતાએ શીઝાન અને તેના પરિવાર પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા. એ પણ ખુલાસો કર્યો હતો કે શીઝાને તુનિષા સાથે બ્રેકઅપ કર્યું હતું. અભિનેત્રી ડિપ્રેશનમાંથી પસાર થઈ રહી હતી. શીઝાન તુનીષા પર પણ હાથ ઉપાડતો હતો. તુનીષાની માતાએ કેસ નોંધાવ્યો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments