Homeગામનાં ચોરેELECTION: UP, PUNJAB સહિત પાંચ રાજ્યની ચૂંટણીની તારીખ જાહેર

ELECTION: UP, PUNJAB સહિત પાંચ રાજ્યની ચૂંટણીની તારીખ જાહેર

Team Chabuk-National Desk: દેશના પાંચ રાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે. ચૂંટણી પંચે પાંચેય રાજ્યની ચૂંટણીની તારીખની જાહેરાત કરી દીધી છે. ચૂંટણી પંચે આજે ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યમાં થનારી વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. ચૂંટણી કમિશન દ્વારા ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે.

પાંચ રાજ્યની ચૂંટણીમાં 24.9 લાખ મતદારો પ્રથમ વખત મતદાન કરશે. યુપીમાં 29% મહિલા મતદારો વધ્યા છે. 5 રાજ્યોમાં 18.34 કરોડ મતદારો મતદાન કરશે. ઉત્તર પ્રદેશમાં પ્રથમ તબક્કાનું મતદાન 10 ફેબ્રુઆરીએ યોજાશે. બીજો તબક્કો – 14મી ફેબ્રુઆરી, ત્રીજો તબક્કો – 20 ફેબ્રુઆરી, ચોથો તબક્કો- 23 ફેબ્રુઆરી, પાંચમો તબક્કો 27 ફેબ્રુઆરી, છઠ્ઠો તબક્કો 3 માર્ચ, સાતમો તબક્કો 7 માર્ચે યોજાશે.

મણિપુરમાં પ્રથમ તબક્કામાં 27 ફેબ્રુઆરીએ અને બીજા તબક્કામાં 3 માર્ચે મતદાન થશે. પંજાબ, ગોવા અને ઉત્તરાખંડમાં 14 ફેબ્રુઆરીએ મતદાન થશે, 10 માર્ચે મતગણતરી યોજાશે. પંજાબ, ગોવા અને ઉત્તરાખંડમાં એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે. 14 ફેબ્રુઆરીએ પંજાબ, ગોવા અને ઉત્તરાખંડમાં મતદાન થશે. મતગણતરી 10 માર્ચે થશે.

વિજય સરઘસ પર પ્રતિબંધ

ચૂંટણી પંચે કહ્યું છે કે પ્રચાર ડિજિટલ, વર્ચ્યૂઅલ, મોબાઈલ દ્વારા થવો જોઈએ. ભૌતિક પ્રમોશનના પરંપરાગત માધ્યમોનો ઉપયોગ ઓછામાં ઓછો કરો. આ ઉપરાંત રાત્રે આઠ વાગ્યાથી સવારના આઠ વાગ્યા સુધી કોઈ પ્રચાર, જનસંપર્ક રાજકીય પક્ષો કરી શકશે નહીં. વિજય સરઘસ કાઢવામાં આવશે નહીં. વિજેતા ઉમેદવારો બે લોકો સાથે પ્રમાણપત્ર લેવા જશે. પક્ષોને માત્ર નિર્ધારિત સ્થળોએ જ બેઠક યોજવાની મંજૂરી આપવામાં આવશે. તમામ પક્ષો અને ઉમેદવારોએ બાંયધરી આપવી પડશે કે તેઓ કોવિડ ગાઇડ લાઇનનું ચુસ્તપણે પાલન કરશે.

રોડ શો, રેલી, પદયાત્રા નહીં યોજી શકાય
આજથી 15 જાન્યુઆરી સુધી ચૂંટણી પંચે પદયાત્રા, રોડ શો, રેલી, સાયકલ રેલી પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે. 15 જાન્યુઆરી પછી વિચારણા કરવામાં આવશે.

એક મહત્વપૂર્ણ જાહેરાતમાં ચૂંટણી પંચે કહ્યું છે કે મતદાનનો સમય એક કલાક વધારવામાં આવ્યો છે. આ કોરોનાના કારણે કરવામાં આવ્યું છે. જાહેરનામું બહાર પાડતી વખતે ચૂંટણીનો સમય જાહેર કરવામાં આવશે.

CEC સુશીલ ચંદ્રાએ કહ્યું છે કે આદર્શ આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, પ્રથમ વખત મતદાન કરનારાઓ માટે મતદાર માર્ગદર્શિકા પણ ઉપલબ્ધ રહેશે. આયોગ તેમને વ્યક્તિગત રીતે એક પત્ર પણ આપશે. ઓછા મતદાન ટકાવારીવાળા બૂથ પર સ્વીપ પ્રવૃત્તિઓ દ્વારા તેમાં વધારો કરવામાં આવશે. ચૂંટણી પંચે કહ્યું છે કે 60 થી 70 ટકા સંતોષકારક નથી. કમિશનનું લક્ષ્ય 90 ટકાથી વધુ કરવાનું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments