Homeગામનાં ચોરેપ્રિયંકા ગાંધીએ 8 એપ્રિલે જ કહેલું કે યોગી આદિત્યનાથ કોરોના પોઝિટિવના સંપર્કમાં...

પ્રિયંકા ગાંધીએ 8 એપ્રિલે જ કહેલું કે યોગી આદિત્યનાથ કોરોના પોઝિટિવના સંપર્કમાં આવ્યા છે અને આજે સાચેક પોઝિટિવ આવી ગયા

Team Chabuk- National-Desk: ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ કોરોના પોઝિટિવ આવ્યા છે. યુપીમાં અખિલેશ યાદવ બાદ આ બીજા મોટા નેતા છે જેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ હોવાની ખબર આવી છે. આ અંગેની મુખ્યમંત્રીએ ટ્વીટ કરી જનતાને જાણકારી આપી હતી. તેઓ પોતે હાલ સેલ્ફ આઈસોલેશનમાં છે. યોગી આદિત્યનાથે લખ્યું કે શરૂઆતમાં કોરોનાના લક્ષણ દેખાતા મેં ટેસ્ટ કરાવ્યો અને મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું સેલ્ફ આઈસોલેશન છું અને ડોક્ટરોના પરામર્શનું પૂર્ણત: પાલન કરી રહ્યો છું.

વધુમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ લખ્યું કે તમામ કાર્ય વર્ચ્યુઅલી સંપાદિત કરી રહ્યો છું. પ્રદેશ કાર્યાલયની તમામ ગતિવિધિઓ સામાન્ય રૂપથી સંચાલિત થઈ રહી છે. આ વચ્ચે જે લોકો પણ મારા સંપર્કમાં આવ્યા હોય એ તપાસ ચોક્કસથી કરી લે અને તબિયતનું ખાસ ધ્યાન રાખે.

આ પહેલા 8 એપ્રિલના રોજ કોંગ્રેસના મહાસચિવ અને ઉત્તર પ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધીએ ટકોર કરતાં યોગી આદિત્યનાથ પર લાપરવાહીનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે તેઓ કોરોના પોઝિટિવના સંપર્કમાં આવ્યા છે અને છતાં તેઓ ચૂંટણી સભાઓ કરી રહ્યા છે. પ્રિયંકાએ આ વાત પોતાના ટ્વીટર પર પણ મૂકી હતી અને યોગી પર નિશાન સાધ્યું હતું. આજે પ્રિયંકા ગાંધી સાચા પૂરવાર થઈ રહ્યા છે. યોગી આદિત્યનાથ કોરોના પોઝિટિવ આવ્યા છે.

એ ટ્વીટમાં પ્રિયંકા ગાંધીએ લખ્યું હતું કે, મીડિયા રિપોર્ટ પ્રમાણે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી કોવિડ+ વ્યક્તિના સંપર્કમાં આવ્યા છે. તેમનું કાર્યાલય કોવિડથી થનારી મોતના ખોટા આંકડા દઈ રહ્યું છે. ખબરો અનુસાર લખનઉના હોસ્પિટલો અને સ્મશાનગૃહોમાં લાંબી વેઈટિંગ છે. લોકોમાં ભય છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, જેમનું કામ જવાબદારીનું અને પારદર્શિતાનું છે, એ પોતે ગેરજવાબદાર સાબિત થઈ રહ્યા છે. સંકટના સમયે નેતાઓએ સત્યતા અને સાચા આચરણનું ઉદાહરણ રજૂ કરવું જોઈએ. જેથી લોકો તેના પર ભરોસો કરી શકે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments