Homeગામનાં ચોરેમહિલાનો પતિ આવી જતાં લીવ ઈન રિલેશનશિપમાં રહી રહેલા પુરુષે પાંચમાં માળ...

મહિલાનો પતિ આવી જતાં લીવ ઈન રિલેશનશિપમાં રહી રહેલા પુરુષે પાંચમાં માળ પરથી છલાંગ લગાવી અને…

Team Chabuk-National Desk: જયપુરના પ્રતાપનગર પોલીસ સ્ટેશન વિસ્તારની એક ઘટના સામે આવી છે. જ્યાં લીવ ઈન રિલેશનશીપમાં રહેતી એક વ્યક્તિએ મહિલાના પતિને જોઈ એપાર્ટમેન્ટના પાંચમા માળ પરથી છલાંગ લગાવી દીધી. સારવાર દરમ્યાન તેનું મૃત્યુ નીપજ્યું છે. પોલીસે બુધવારના રોજ જણાવ્યું હતું કે ગંભીર રીતે ઈજાગ્રસ્ત વ્યક્તિને તેણી સવાઈમાન સિંહ હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર માટે લઈ ગઈ હતી.

પોલીસના જણાવ્યા અનુસાર આ દુર્ઘટના રવિવારની મોડી રાત્રે ઘટી હતી. સોમવારના રોજ તેનું સારવાર દરમ્યાન મૃત્યુ થઈ ગયું. પોલીસ ઈન્ચાર્જ બલવીરસિંહે જણાવ્યું કે ઉત્તર પ્રદેશના કન્નોજના રહેવાસી આઝમ ઉર્ફ મોહિસિન જેની વય 29 વર્ષની છે તેણે એપાર્ટમેન્ટના પાંચમાં માળ પરથી છલાંગ લગાવી હતી. મોહિસિન મહિલાની સાથે ભાડેના મકાનમાં લીવ ઈન રિલેશનશિપમાં રહી રહ્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, આ મહિલા પોતાના પ્રેમી મોહિસિનની સાથે બે વર્ષ પહેલા નૈનીતાલથી પોતાની પાંચ વર્ષની સગીર પુત્રીની સાથે પતિને છોડી રાજસ્થાનના જયપુરમાં આવી ગઈ હતી. પતિ મહિલાની શોધખોળ કરી રહ્યો હતો. રવિવારે તે મહિલાના નિવાસસ્થાને પહોંચ્યા. તેને જોઈ ભયભીત થયેલા યુવકે પાંચમાં માળ પરથી છલાંગ લગાવી દીધી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments