Team Chabuk-National Desk: સતત સમાચારોમાં છવાયેલું રહેવા માટે જાણીતું ઉત્તરપ્રદેશનું ગાઝિયાબાદ હવે પિત્ઝા અને એક કરોડ રૂપિયાનાં કારણે ચર્ચામાં છે. અહીં એક વેજીટેરિયન મહિલાએ વેજ પિત્ઝા મંગાવ્યો હતો. પણ કંપનીએ નોનવેજ પિત્ઝા મોકલી દીધો. મહિલાએ ભૂખના કારણે એ પિત્ઝા ખાધો પણ ખરી પણ જ્યારે ખબર પડી કે આ પિત્ઝા શાકાહારી નથી ત્યારે તેણે કંપની વિરૂદ્ધ બાંયો ચડાવવાનું નક્કી કરી લીધું. હવે મહિલા કંપનીને કન્ઝ્યુમર કોર્ટમાં ખેંચી ગઈ છે. મહિલાએ વળતર પેટે એટલી મોટી રકમ માગી લીધી છે કે, દુકાન બંધ કરવાની નોબત આવી પડે. એક કરોડ રૂપિયાની માગ કરી છે. મહિલાનું માનવું છે કે તેને જે નુકસાન થયું છે તેના કારણે મોટી ધાર્મિક ક્રિયામાંથી પસાર થવું પડ્યું છે.
સમાચાર એજન્સી ANIની રિપોર્ટ પ્રમાણે, દીપાલી ત્યાગી નામની આ મહિલાએ પોતાની યાચિકામાં એવો દાવો કર્યો છે કે, એ પોતાની ધાર્મિક માન્યતાઓ, શિક્ષાઓ, પારિવારિક પરંપરાઓ, ખૂદનો વિવેક અને પોતાની સર્વશ્રેષ્ઠ પસંદનાં કારણે શુદ્ધ શાકાહારી છે. અત્યાર સુધી તે શાકાહારી જ હતી પણ પિત્ઝાની ડિલેવરીમાં થયેલી ભૂલનાં કારણે તેનું શાકાહારીપણું તૂટી ગયું છે.
21 માર્ચ 2019નાં રોજ દિપાલીએ હોળી મનાવ્યા પછી પરિવાર માટે પિત્ઝા આઉટલેટથી શાકાહારી પિત્ઝા ઓર્ડર કર્યો હતો. પિત્ઝા તો મોડો પહોંચ્યો પણ તેણે એ વાતને રફેદફે કરી નાખી. પિત્ઝા વેજ છે કે નોનવેજ એ વાતની તપાસ કર્યા વિના મહિલા ખાવા લાગી હતી. એમને લાગ્યું કે પિત્ઝામાં મશરૂમની જગ્યાએ માંસના ટૂકડા છે. ફરિયાકર્તા મહિલાના વકિલ ફરહત વારસીનું કહેવું છે કે, ગ્રાહકને આ વાતની ખબર પડતા તુરન્ત એમણે ગ્રાહક સેવાને ફોન જોડ્યો અને શુદ્ધ શાકાહારી ઘરમાં નોનવેજ પિત્ઝા દેવાની લાપરવાહીનાં કારણે ફરિયાદ દાખલ કરી દીધી.
થોડા દિવસો પછી, પિત્ઝા આઉટલેટનાં એક પ્રબંધકે દીપાલીને ફોન કર્યો અને ફરિયાદ કરનાર સમગ્ર પરિવારને મફતમાં પિત્ઝા આપવાની વાત કરી. જેથી આ ઘટના પર ઠંડુ પાણી રેડાય જાય. જોકે ફરિયાદકર્તાએ તેમને ફરીથી કહ્યું કે, આ કોઈ સામાન્ય વાત નથી. સાધારણ કેસ નથી. અમારી ધાર્મિક ભાવનાને ઠેંસ પહોંચી છે. એ પછી પીડિતા તરફથી જિલ્લાનાં ઉપભોક્તા ફોરમમાં કેસ દાખલ કરવામાં આવ્યો. કંપનીએ આનાં પર જવાબ માગ્યો છે. હવે આ કેસની આગામી સુનાવણી 17 માર્ચનાં રોજ થવાની છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત