Homeગામનાં ચોરે30 રૂપિયામાં પેટ્રોલ મળશે એ ટ્વીટ રામદેવે ડિલીટ કરી નાખ્યું

30 રૂપિયામાં પેટ્રોલ મળશે એ ટ્વીટ રામદેવે ડિલીટ કરી નાખ્યું

Team Chabuk-National Desk: કોંગ્રેસની સરકારના સમયે બાબા રામદેવે અતિશ્યોક્તિમાં આવી જઈ એક નિવેદન આપ્યું હતું. નિવેદન કે કાળું ધન પરત આવી જાય તો પેટ્રોલ ત્રીસ રૂપિયામાં મળશે. વર્તમાન સમયે પેટ્રોલ ડિઝલનો ભાવ વધ્યો અને જનતા પરેશાન છે ત્યારે એ ટ્વીટ બાબા રામદેવ માટે એવો સંઘર્યો સાપ સાબિત થયો છે કે જે વારંવાર ડંખ્યા રાખતો હતો. હતો એટલા માટે કે બાબા રામદેવે આખરે કંટાળીને એ ટ્વીટ ડિલીટ કરી નાખ્યું છે.

જ્યારે જ્યારે વર્તમાન મોદી સરકાર પેટ્રોલ ડિઝલના ભાવમાં વધારો કરતી હતી ત્યારે ત્યારે બાબા રામદેવનું ટ્વીટ કરણ-અર્જુનમાં આવતા રાખીના સંવાદની જેમ, ‘ધરતીની છાતી અને આકાશ ચીરીને ગમે ત્યાંથી સામે આવી જતું હતું!’

આ ટ્વીટ 9 વર્ષની વયનું હતું! મોદી સરકારના શાસનમાં આવતા પહેલા એટલે કે 8 ઓગસ્ટ 2021માં ઐતિહાસિક નિવેદન આપતા પ્રથમ વખત કરવામાં આવ્યું હતું, જ્યારે દેશમાં મોદીજીના આવતા અચ્છે દીન આવશેની વાતો થઈ રહી હતી. ટ્વીટ ડિલીટ થયા બાદ બાબા રામદેવ ટ્રોલિંગનો અત્યાધિક ભોગ બન્યા છે. વાત એવી હતી કે કાળું ધન પરત આવશે તો પેટ્રોલ ત્રીસ રૂપિયામાં મળશે. એ બંનેમાંથી કંઈ ન આવ્યાની સોશિયલ મીડિયામાં થઈ રહેલી વાતો વચ્ચે, અંતે બુધવારના રોજ 20 ઓક્ટોબર 2021ના શરદ પુનમના શુભ અવસર પર રામદેવે ટ્વીટ ડિલીટ કરી નાખ્યું.

જતાં જતાં પેટ્રોલ અને ડિઝલના પાટનગરમાં ચાલતા ભાવનું સ્મરણ કરાવતા જઈએ. દિલ્હીમાં 20 ઓક્ટોબરના રોજ પેટ્રોલ 106.19 રૂપિયા પ્રતિ લીટર હતું. ડિઝલ 94.92 રૂપિયા પ્રતિ લીટર હતું. ગત 17 દિવસોમાં પેટ્રોલ 5 રૂપિયા પ્રતિ લીટર સુધી મોંઘુ થઈ ચૂક્યું છે. છેલ્લા વીસ દિવસોમાં ડિઝલ 6.30 રૂપિયા પ્રતિ લીટર થઈ ચૂક્યું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments