Team Chabuk-National Desk: છેલ્લા ઘણા સમયથી યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. નાની ઉંમરના યુવકે હાર્ટ એટેક આવી રહ્યા છે. આ પ્રકારનો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. લખનઉથી શારજાહ જતી ફ્લાઈટનું જયપુર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. પ્લેનમાં બેસેલા એક 23 વર્ષના યુવકને હાર્ટ એટેક આવ્યો હતો. પ્લેનને જયપુરમાં લેન્ડ કરાવ્યા બાદ પેસેન્જરને નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ ઘટના રવિવારે રાત્રે 11 વાગ્યે બની હતી.
એરપોર્ટ ઓથોરિટીના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઈન્ડિગોની ફ્લાઈટે લખનઉ એરપોર્ટથી લગભગ 9:45 વાગ્યે શારજાહ માટે ઉડાન ભરી હતી. જેમ જેમ એરક્રાફ્ટ જયપુર ઇન્ટરનેશનલ એરપોર્ટના પ્રદેશમાં પ્રવેશ્યું, એર ટ્રાફિક કંટ્રોલર (એટીસી) ને જાણ કરવામાં આવી કે વિમાનને તબીબી કટોકટી માટે લેન્ડ કરવું પડશે. ATC તરફથી લેન્ડિંગનો મેસેજ મળતાની સાથે જ એરપોર્ટ એડમિનિસ્ટ્રેશન એમ્બ્યુલન્સ સહિત અન્ય સંસાધનો લાવીને રનવેની નજીક ઊભા કરી દીધા હતા.

વિમાનમાં 190 લોકો સવાર
અધિકારીઓના જણાવ્યા અનુસાર પ્લેનમાં બેઠેલા 23 વર્ષીય નન્થા ગોપાલને છાતીમાં દુખાવો થતો હતો. લેન્ડિંગ પછી તરત જ, મુસાફરોને જવાહર સર્કલ ખાતેની ખાનગી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો, જ્યાં ડૉક્ટરે હાર્ટ એટેકની પુષ્ટિ કરી હતી. આ સમગ્ર પ્રક્રિયા બાદ મોડી રાત્રે 12.50 વાગ્યે વિમાનને શારજાહ માટે રવાના કરવામાં આવ્યું હતું. આ વિમાનમાં ક્રૂ મેમ્બર સહિત 190 લોકો સવાર હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
