Homeસિનેમાવાદલતા મંગેશકરના જન્મદિવસ પર 22 વર્ષ બાદ તેમનું રેકોર્ડ થયેલું જૂનું ગીત...

લતા મંગેશકરના જન્મદિવસ પર 22 વર્ષ બાદ તેમનું રેકોર્ડ થયેલું જૂનું ગીત લોન્ચ કરાયું

Team Chabuk-Cinema Desk: લતા મંગેશકર 28 સપ્ટેમ્બર 2021ના રોજ પોતાનો 91મો જન્મદિવસ મનાવશે. સુર સમ્રાજ્ઞી લતા મંગેશકરનું હિન્દી સિનેમામાં નામ પ્રથમ પંક્તિના ગાયકોમાં લેવામાં આવે છે. પોતાના જન્મદિવસની આ ખાસ ક્ષણે પોતાના હિતેચ્છુઓ અને પ્રશંસકો માટે લતા મંગેશકર એક ભેટ લઈ આવ્યા છે. 22 વર્ષ પહેલા લતા મંગેશકરના કંઠે રેકોર્ડ કરવામાં આવેલું ગીત ‘सब ठीक तो है, लेकिन सब ठीक नहीं लगता’ લોન્ચ કરવામાં આવ્યું છે.

rps baby world

આ ગીત એક ફિલ્મમાં સમાવિષ્ટ થવાનું હતું, કમનસીબે એ ફિલ્મ કોઈ દિવસ પૂર્ણ જ ન થઈ. આ ગીતને ફિલ્મના નિર્માણકાર્ય પૂર્વે જ તૈયાર કરી લેવામાં આવ્યું હતું. આ ગીત સાથે બીજી બે ખ્યાતિપ્રાપ્ત વ્યક્તિ પણ સંકળાયેલી છે. ગીતના શબ્દો ગુલઝાર સાહેબે લખેલા છે તો તેનું સંગીત પ્રતિષ્ઠિત દિગ્દર્શક વિશાલ ભારદ્વાજ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આ ગીતની ખાસિયત એ છે કે તેને વર્તમાન સમયના ઉપલક્ષ્યથી ન તો રિમિક્સ કરવામાં આવ્યું છે કે ન તો તેમાં કોઈ જાતનું પરિવર્તન કરવામાં આવ્યું છે.

rps baby world

22 વર્ષ બાદ રિલીઝ થનારા આ ગીતને લઈ લતા મંગેશકર દ્વારા ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. તેમણે આ સંદર્ભે કહ્યું કે, સંગીત મારું જીવન છે અને અત્યાર સુધી હું ગાતી આવી છું. વિશાલ ભારદ્વાજે આપેલ સંગીત અને ગુલઝારે શબ્દબદ્ધ કરેલું ગીત સૂરિલું છે. ગુલઝારજીનો કોઈ જવાબ નથી. વિશાલ ભારદ્વાજે એ સમયમાં જે ગીતો બનાવ્યા તે ખૂબ જ સારા હતા. આ પહેલા માચીસમાં પણ તેમણે કમાલ કરી બતાવી હતી. એ સમયનું જ આ ગીત છે.

rps baby world

વિશાલ ભારદ્વાજ અને ગુલઝારજીની સાથે વધુ એક ફિલ્મ પર વાતચીત કરતા લતા મંગેશકરે કહ્યું કે, એ પછી તો અમે વધુ એક ફિલ્મ માટે ગીત રેકોર્ડ કર્યું હતું. ગીત ગુલઝારજીએ જ લખ્યું અને સંગીત પણ વિશાલનું હતું. એ આજે રિલીઝ થયેલું ગીત છે. જોકે એ પિક્ચર બની જ નહીં. એ ફિલ્મમાં અમારું જે ગીત રેકોર્ડ થયું હતું, એ ગીત લોન્ચ કરી રહ્યા છીએ. મને આશા છે કે સાંભળનારાઓને પસંદ આવશે. તેના બોલ અને ધૂન પણ ગમશે, કારણ કે વિશાલ ભારદ્વાજ ખૂબ સારા સંગીતકાર છે. મારી શુભકામનાઓ છે કે આ ગીત સારું ચાલે અને લોકો અભિનંદન પાઠવે.

rps baby world

લતા મંગેશકર પાસેથી વખાણ સાંભળ્યા બાદ વિશાલ ભારદ્વાજ ઘણા જ ખૂશ છે. જ્યારે તેમને લતા મંગેશકરે કરેલા તેમના કામના વખાણ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જવાબ આપ્યો કે, લતાજીના મુખેથી વખાણ સાંભળ્યા બાદ મને લાગે છે કે બસ મારા પગ જમીન પર રહે. આ મારા માટે ખૂબ મોટું કોમ્પલિકેટ છે. કદાચ આ દિવસ માટે જ જીવન મળેલું છે.

rps baby world

આ વિષય પર ગુલઝાર સાહેબે કહ્યું કે, આજના સમયમાં એ સારી વાત છે કે લોકો ખૂદને ગીતની સાથે સાંકળી રહ્યા છે. વિશાલ ખૂબ જ ભાગ્યશાળી માણસ છે કે આ ગીતનું રિમિક્સ કરવાથી તેઓ બચી ગયા. અન્યથા રિમિક્સ બધું ખરાબ કરી નાખે છે. અહીં સંગીત અને શબ્દ પોતાના સમયને સાથે લઈ ચાલે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments